Sunday, January 18, 2026

અમદાવાદમાં રેલવેનું નવું નજરાણું : આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

spot_img
Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં નાગરિકો અને મુસાફરો મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પર બનનાર રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી રેસ્ટોરન્ટ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની જનતા પણ રેલવેના આ હરતા-ફરતા ડાઈનિંગ હોલનો આનંદ માણી શકશે.આ રેલ કોચ રેલ કોચ રેસ્ટોરાંની સૌથી મોટી વિશેષતા એ હશે કે તે 24 કલાક કાર્યરત રહેશે. અહીં મુસાફરો અને સ્થાનિક નાગરિકો દિવસ હોય કે રાત, ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકશે.રેસ્ટોરામાં ઇન્ડોર બેઠક વ્યવસ્થાની સાથે આઉટડોર ડાઇનિંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત, અહીં આવતા પરિવારો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને બાળકો માટે ખાસ ‘ફન ઝોન’ પણ બનાવવામાં આવશે, જેથી બાળકો રમી શકે અને વડીલો નિરાંતે ભોજન કરી શકે.

આ રેસ્ટોરન્ટને હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહી છે. આધુનિક ડિઝાઇન સાથેના આ કોચમાં જ રસોડું (એટેચ્ડ કિચન) હશે, જ્યાંથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.મેનૂમાં ઇન્ડિયન, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેવી અનેક વેરાયટી રાખવામાં આવશે. તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલી આ રેસ્ટોરન્ટમાં ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આંબલી રોડ સ્ટેશન પર આ પ્રોજેક્ટ સફળ થયા બાદ રેલવે વહીવટતંત્ર આગામી સમયમાં મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ આવી જ ‘રેલ કોચ રેસ્ટોરાં’ વિકસાવવાની યોજના ધરાવે છે.ભારતીય રેલવેના આ ઇનોવેટિવ એપ્રોચને કારણે રેલવેને આવક પણ થશે અને સામાન્ય લોકોને એક આકર્ષક પિકનિક સ્પોટ જેવું વાતાવરણ પોતાના જ શહેરમાં મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...