Friday, April 24, 2026

અમદાવાદમાં રેલવેનું નવું નજરાણું : આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

spot_img
Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં નાગરિકો અને મુસાફરો મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પર બનનાર રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી રેસ્ટોરન્ટ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની જનતા પણ રેલવેના આ હરતા-ફરતા ડાઈનિંગ હોલનો આનંદ માણી શકશે.આ રેલ કોચ રેલ કોચ રેસ્ટોરાંની સૌથી મોટી વિશેષતા એ હશે કે તે 24 કલાક કાર્યરત રહેશે. અહીં મુસાફરો અને સ્થાનિક નાગરિકો દિવસ હોય કે રાત, ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકશે.રેસ્ટોરામાં ઇન્ડોર બેઠક વ્યવસ્થાની સાથે આઉટડોર ડાઇનિંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત, અહીં આવતા પરિવારો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને બાળકો માટે ખાસ ‘ફન ઝોન’ પણ બનાવવામાં આવશે, જેથી બાળકો રમી શકે અને વડીલો નિરાંતે ભોજન કરી શકે.

આ રેસ્ટોરન્ટને હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહી છે. આધુનિક ડિઝાઇન સાથેના આ કોચમાં જ રસોડું (એટેચ્ડ કિચન) હશે, જ્યાંથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.મેનૂમાં ઇન્ડિયન, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેવી અનેક વેરાયટી રાખવામાં આવશે. તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલી આ રેસ્ટોરન્ટમાં ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આંબલી રોડ સ્ટેશન પર આ પ્રોજેક્ટ સફળ થયા બાદ રેલવે વહીવટતંત્ર આગામી સમયમાં મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ આવી જ ‘રેલ કોચ રેસ્ટોરાં’ વિકસાવવાની યોજના ધરાવે છે.ભારતીય રેલવેના આ ઇનોવેટિવ એપ્રોચને કારણે રેલવેને આવક પણ થશે અને સામાન્ય લોકોને એક આકર્ષક પિકનિક સ્પોટ જેવું વાતાવરણ પોતાના જ શહેરમાં મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...