Friday, January 16, 2026

SG હાઈવે પર આ સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

spot_img
Share

અમદાવાદ : શહેરના ટ્રાફિકને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે સર્વિસ રોડને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ખાનગી વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ખોદકામના કારણે આ સર્વિસ રોડને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે રોજિંદા મુસાફરોને થોડા દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે. આ કામ સલામત રીતે અને વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે 22 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આ એકતરફી સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શહેરમાં પહેલેથી જ વિવિધ વિકાસકામો, મેટ્રો પ્રોજેક્ટ અને રોડ રીડેવલપમેન્ટના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. તેવામાં એસજી હાઈવે જેવા મુખ્ય માર્ગ પર સર્વિસ રોડ બંધ થવાથી વાહનચાલકો માટે થોડી અસુવિધા ઊભી થવાની શક્યતા છે. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય આયોજન સાથે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકનું ભારણ સંતુલિત રાખી શકાય.

ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...