Tuesday, January 20, 2026

AMCનો કડક નિર્ણય: બિલ્ડિંગ-કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે, પણ જયાં પાર્કિંગની જગ્યા જ નથી ત્યાં શું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાને લઈ કડક નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. શહેરમાં તમામ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં. જ્યાં કોમ્પ્લેક્સની માર્જિનની જગ્યા છે, ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં. જો કોઈપણ જગ્યાએ આવું વાહનનું કે અન્ય દબાણ જોવા મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફિક પોલીસ સાથે મળીને વાહન તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

એસ્ટેટ વિભાગે જણાવ્યું કે, શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવામાં આવતું નથી. નાગરિકો દ્વારા વાહનો જાહેર ટી.પી.રસ્તા પર પાર્કિંગ કરી જાહેર જનતાને અવર-જવરમાં મુશ્કેલી ઉભી કરવામાં આવે છે અને ટ્રાફિકનું સરળ નિયમન થઈ શકતું નથી. જેને લીધે શહેરમાં વધતા ટ્રાફિકની તથા ગેરકાયદેસર થતા પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. તમામ વાણિજ્ય-રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ-નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ-પ્રિમાઈસીસની અંદર કરાવવુ તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઈનેજીસ, પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

બિલ્ડિંગ પ્રિમાઈસિસ બહાર મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ, જાહેર જગ્યામાં બિન-પરવાનગીએ વાહનોનું પાર્કિંગ કરવું અને કરાવવું નહીં. બિલ્ડિંગની સામે રસ્તા ઉપર વાહનચાલકો બિન-અધિકૃત પાર્કિંગ કરે નહી તે માટે જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે કરવાની રહેશે. બિલ્ડિંગની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં માલ-સામાન મુકી માર્જિનમાં દબાણ કરવું અને કરાવવું નહી. ઘણા લોકો પોતાની દુકાનની સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડે આપી દે છે આવી દુકાનો સામે જો કોઈ સ્ટોલ હશે તો તાત્કાલિક ધોરણે તેની દૂર કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

રોડ ઉપર કરાતા પાર્કિંગ અને દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો કોઈપણ વ્યક્તિ રોડ ઉપર વાહન પાર્ક કરી અને ગયું હશે તો તેમનું વાહન લોક કરી દેવામાં આવશે. તાત્કાલિક ધોરણે આ અમલ શરૂ થઈ ગયો છે. કોઈપણ બિલ્ડિંગ બહાર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અથવા તો પાર્કિંગની જગ્યામાં દબાણ કરાયેલું હશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જુના નાના મોટા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો અને ભોંયરામાં કોમર્શિયલ પ્રવુતિઓને કારણે પાર્કિંગની જગ્યાઓ બંધ થઇ ગઈ છે, જેને કારણે કોમ્પ્લેક્સના રહીશો, વેપારીઓ અને કોમ્પ્લેક્સમાં આવતા વિઝિટર્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ પર જાહેરમાં પાર્ક કરતા હોય છે આ કોમ્પ્લેક્સ શહેરમાં મોટી સંખ્યામાં હોવાનું જણાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌ પ્રથમ આ પ્રકારના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા આપવી જોઈએ એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...