Friday, March 6, 2026

અમદાવાદના આ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી AMC અને પોલીસની ટીમ પર પથ્થરમારો, એક જવાન ઘાયલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં AMCના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સ્થાનિક લારીવાળાઓ દ્વારા પોલીસ અને એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર લોકોનો સામાન ભરી લીધો હતો. આ હુમલાની ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત નરોડા સ્વામિનારાયણ પાર્ક પાસે ફૂટપાથ અને જાહેર રોડ પર દબાણ જમાવીને બેઠેલા પાથરણાવાળાઓને હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી. જ્યારે ટીમે પાથરણા હટાવવાની કામગીરી શરૂ કરી, ત્યારે સ્થાનિક વેપારીઓ અને પાથરણાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો ગરમાયો હતો અને ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી.

ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. તકરાર એટલી હદે વધી ગઈ કે ટોળામાંથી કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન ટોળાએ મારેલો એક મોટો પથ્થર ફરજ પર તૈનાત પોલીસ જવાનને વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હુમલાની ઘટના બાદ નરોડા પોલીસનો વધુ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવા બદલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે સ્થળ પરથી હુમલો કરનાર બે શખ્સોની અટકાયત કરી છે. નરોડા પોલીસ મથકે તોફાની ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી અધિકારી પર હુમલો કરવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અગાઉ પણ નરોડા વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી AMCની ટીમ સાથે શાકભાજીના લારીધારકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘટના સ્વામિનારાયણ પાર્ક નજીક બની હતી, જ્યાં રોડ પર ગેરકાયદે રીતે ઉભી રાખવામાં આવેલી શાકભાજીની લારીઓ દૂર કરવા માટે AMCની ટીમ પહોંચી હતી. AMCની ટીમ ગાડી સાથે સ્થળ પર પહોંચીને લારીઓ હટાવવાનું કામ શરૂ કરી રહી હતી, ત્યારે લારીધારકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...