Friday, January 23, 2026

અમદાવાદ પોલીસે કર્યો મોતની ચાઈનીઝ દોરીનો સૌથી મોટો પર્દાફાશ, છેક ફેકટરી સુધી કેવી રીતે પહોંચી, જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય SOGને, ઉતરાયણ પર્વે નિર્દોષ વાહનચાલકોના ગળા રહેંસી નાખતી ચાઈનીઝ દોરીના મૂળ સુધી પહોચવામાં સફળતા મળી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાઈનીઝ દોરી ગુજરાતના વિવિધ શહેર અને ખાસ કરીને અમદાવાદ સુધી કેવી રીતે, કોણ લાવે છે તે દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેકટરીનો અતોપતો મળ્યો હતો. જેના ઉપર દરોડા પાડીને કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 42,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOGએ, સાણંદમાં ચીઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા, પગેરુ દાદરા નગર હવેલીમાં આવેલ વંદના પ્રાઈવેટ લિમિટેડ સુધી પહોચ્યું હતું. આ સ્થળે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ બેધડક ઉત્પાદન કરવામાં આવતુ હતું. આથી અમદાવાદ ગ્રામ્ય SOGએ, દરોડા પાડીને રૂપિયા 2 કરોડ 24 લાખની કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે, દાદરાનગર હવેલી, સાણંદ, આણંદ અને કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

દાદરાનગર હવેલીમાં આવેલ ફેક્ટરીના માલિક વિરેન પટેલ હોવાનું સામે આવ્યું છે. વિરેન પટેલ મૂળ વાપીનો છે. આથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SOGની સતર્કતાથી ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉત્પાદક એવા મુખ્ય સપ્લાયરથી લઈને છૂટક વેચાણ સુધીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...