Wednesday, January 21, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોની ટિકિટના ભાવમાં કરાયો વધારો, જાણો નવા દર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોની ટિકિટમાં આ વર્ષે પણ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. શનિવાર અને રવિવારે ફ્લાવર શો નિહાળવા માગતા લોકોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ની રિક્રિએશનલ કમિટીમાં એન્ટ્રી રેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોમથી શુક્રવાર માટે ગત વર્ષ કરતા 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સોમથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે 80 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. તો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે 100 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે.

AMC સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9-00 થી 1-00 દરમ્યાન 10 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે. પ્રાઈમ ટાઈમ સ્લોટ માટે સવારે 8-00 થી 9-00 અને રાતે 10-00 થી 11-00 દરમ્યાન 500 રૂપિયા પ્રવેશ ફી કરવામાં આવી છે. તો 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે. તેમજ તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે.

જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ફલાવર શો 2026 શરૂ થશે. AMCના રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, AMC દ્વારા આયોજિત આગામી ફલાવર શોને લઈને અંતિમ આપવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્લાવર શોની શરૂઆત થશે. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં આયોજન કરાયું છે.

ફ્લાવર શોને લઇ AMC દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિસ્તારમાં આયોજન કરાયું છે. 8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાશે. ભારત એક ગાથા થીમ પર ફલાવર શો 2026 નું આયોજન કરાયું છે. જેમાં પૌરાણિકતાથી આધુનિકતા સુધીના સમયને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર થકી પ્રદર્શિત કરાશે.

જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, 500 થી વધુ પ્રજાતિના 7 લાખ કરતા પણ વધુ છોડ રોપા ફ્લાવર શો માટે લાવવામાં આવ્યા છે. જેમાં દેશી વિદેશી, સીઝનલ અને બારમાસી રંગબેરંગી ફૂલો લાખો લોકોને આકર્ષશે. જેની સામે ફૂડ સ્ટોલ, ફ્લાવર સ્ટોલ અને અન્ય સ્ટોલની હરાજી થકી 2-3 કરોડની આવક થવાનો અંદાજ છે. આ વર્ષે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરાશે. આ વર્ષે સરદાર પટેલની ફૂલોથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા ઉભું કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આ વર્ષના ફલાવર શો 2026 માં ખર્ચ 17 થી 18 કરોડ આસપાસ પહોંચશે. જેમાં સ્કલ્પ્ચર, આઇકૉનિક સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ કામગીરી માટે તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...