Friday, March 6, 2026

AMCની ર્પાકિંગ પોલીસી, અમદાવાદમાં પશ્ચિમના અનેક જુના વિસ્તારોમાં અમલ મુશ્કેલ : વેપારીઓ નારાજ..!!

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન -એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને ર્પાકિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે. CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 100 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

જાે કે શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જે પોલીસી લાવવામાં આવી છે એનો અમલ મુશ્કેલ હોવાનું જાણકારો માની રહ્યા છે. એક વેપારીના જણાવ્યા મુજબ, પશ્ચિમના અનેક વિસ્તારો જેમ કે નારણપુરા, નવા વાડજ, જુના વાડજ, નિર્ણયનગર અને ચાંદલોડીયા સહિતના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની નાની મોટી સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, રોડ પર દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે.

જાે રહેણાંક સોસાયટીઓની વાત કરવામાં આવે તો ઉપરોક્ત તમામ વિસ્તારોમાં મોટેભાગે જુની સોસાયટીઓ આવેલ છે, ગેરકાયદે બાંધકામ મોટી પ્રમાણમાં કરવામાં આવેલ છે, સોસાયટીઓ હોય કે એપાર્ટમેન્ટ હોય પાર્કિંગની જગ્યાનો અભાવ જાેવા મળી રહ્યો છે.જેને લોકો રોડ પર વાહન પાર્ક કરી રહ્યા છે. જેથી હાલમાં પણ પાર્કિંગની સમસ્યા નડી રહી છે, જૂની સોસાયટીઓમાં વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગની જગ્યા અપર્યાપ્ત છે, જેના કારણે ઝઘડા અને અકસ્માતો પણ વધ્યા છે.પાર્કિંગને લઈને અવારનવાર નાના મોટા ઘર્ષણો અને ઝઘડાઓ પણ થતા રહે છે.

સાથે સાથે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોની વાત કરીએ તો મોટાભાગના કોમ્પલેક્ષો, દુકાનોમાં પાર્કિંગ આવેલ નથી, પાર્કિંગની જગ્યાએ દુકાનો તાણી બંધાઈ છે, ભોયરામાં કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે. ઓછામાં પુરુ માર્જીનની જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામનો રાફડો છે, ત્યારે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોમાં વેપારીઓ અને મુલાકાતીઓ દ્વારા બહાર રોડ પર, ફુટપાથ પર વાહનો પાર્ક કરી રહ્યા છે.

ઉપરોક્ત તમામ સમસ્યાઓ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના જૂના વિસ્તારોમાં વધુ જાેવા મળે છે.આગામી સમયમાં સ્થાનિકોની માંગ અને પડકારોની વાત કરીએ તો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું માનવું છે કે AMC એ પહેલાં આવા જૂના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા પુન:સ્થાપિત કરાવવી જાેઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જાેઈએ.

જ્યાં પાર્કિંગની જગ્યા જ નથી, ત્યાં બહાર પાર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેથી કડક કાર્યવાહી અન્યાયી છે.અનેક સોસાયટીઓએ AMC ને વધારાના પાર્કિંગ પ્લોટ અથવા શેર્ડ પાર્કિંગ માટે અરજી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...