Monday, January 19, 2026

AMCની ર્પાકિંગ પોલીસી, અમદાવાદમાં પશ્ચિમના અનેક જુના વિસ્તારોમાં અમલ મુશ્કેલ : વેપારીઓ નારાજ..!!

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન -એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને ર્પાકિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે. CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 100 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

જાે કે શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જે પોલીસી લાવવામાં આવી છે એનો અમલ મુશ્કેલ હોવાનું જાણકારો માની રહ્યા છે. એક વેપારીના જણાવ્યા મુજબ, પશ્ચિમના અનેક વિસ્તારો જેમ કે નારણપુરા, નવા વાડજ, જુના વાડજ, નિર્ણયનગર અને ચાંદલોડીયા સહિતના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની નાની મોટી સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, રોડ પર દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે.

જાે રહેણાંક સોસાયટીઓની વાત કરવામાં આવે તો ઉપરોક્ત તમામ વિસ્તારોમાં મોટેભાગે જુની સોસાયટીઓ આવેલ છે, ગેરકાયદે બાંધકામ મોટી પ્રમાણમાં કરવામાં આવેલ છે, સોસાયટીઓ હોય કે એપાર્ટમેન્ટ હોય પાર્કિંગની જગ્યાનો અભાવ જાેવા મળી રહ્યો છે.જેને લોકો રોડ પર વાહન પાર્ક કરી રહ્યા છે. જેથી હાલમાં પણ પાર્કિંગની સમસ્યા નડી રહી છે, જૂની સોસાયટીઓમાં વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગની જગ્યા અપર્યાપ્ત છે, જેના કારણે ઝઘડા અને અકસ્માતો પણ વધ્યા છે.પાર્કિંગને લઈને અવારનવાર નાના મોટા ઘર્ષણો અને ઝઘડાઓ પણ થતા રહે છે.

સાથે સાથે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોની વાત કરીએ તો મોટાભાગના કોમ્પલેક્ષો, દુકાનોમાં પાર્કિંગ આવેલ નથી, પાર્કિંગની જગ્યાએ દુકાનો તાણી બંધાઈ છે, ભોયરામાં કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે. ઓછામાં પુરુ માર્જીનની જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામનો રાફડો છે, ત્યારે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોમાં વેપારીઓ અને મુલાકાતીઓ દ્વારા બહાર રોડ પર, ફુટપાથ પર વાહનો પાર્ક કરી રહ્યા છે.

ઉપરોક્ત તમામ સમસ્યાઓ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના જૂના વિસ્તારોમાં વધુ જાેવા મળે છે.આગામી સમયમાં સ્થાનિકોની માંગ અને પડકારોની વાત કરીએ તો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું માનવું છે કે AMC એ પહેલાં આવા જૂના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા પુન:સ્થાપિત કરાવવી જાેઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જાેઈએ.

જ્યાં પાર્કિંગની જગ્યા જ નથી, ત્યાં બહાર પાર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેથી કડક કાર્યવાહી અન્યાયી છે.અનેક સોસાયટીઓએ AMC ને વધારાના પાર્કિંગ પ્લોટ અથવા શેર્ડ પાર્કિંગ માટે અરજી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...