Friday, January 16, 2026

AMCની ભારે બેદરકારી, રીડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીને પણ પ્રોપર્ટી ટેક્ષ ભરવાના મેસેજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચારેય તરફ રીડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે. ત્યારે મ્યુનિ. કોપોરેશન સહીતના વિભાગમાં રીડેવલપમેન્ટને લગતી રૂટીન કામગીરી માટે અલાયદો વિભાગ પણ નથી. જેના લીધે પ્લાનીગ વિભાગથી લઈ ટેક્ષ સહીતના વિભાગો વચ્ચે સંકલનને અભાવ હોવાથી વિવિધ વિભાગો પોતાની રીતે કામગીરી કરીને નાગરીકોને પરેશાન કરે છે. હાલ રીડેવલપમેન્ટમાં ગયેલી અને રજાચીઠ્ઠી મેળવી લેનારા સંબંધીત સોસાયટીના સભ્યોને પ્રોપર્ટી ટેક્ષ ભરવાના મેસેજ કરાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કર્મચારીઓની ભારે બેદરકારી બહાર આવી છે. જમીન દોસ્ત થયેલા મકાનોને કોઈપણ વેરો ભરવાનો આવતો નહી હોવાનો નિયમ હોવા છતાં આડેધડ મેસેજ કરાયા છે. મ્યુનિ કોર્પોરેશનના ટેક્ષ વિભાગના કર્મચારીઓની કામગીરીથી લોકો હેરાન થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુ કોર્પાેરેશનની હદ વિસ્તારોમાં પ્રાઈવેટ અને હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ સોસાયટીઓના બિલ્ડીગ જ જમીનદોસ્ત થઈ ગયા છે. જેની મ્યુનિ.કોર્પોરેશનમાંથી રજા ચીઠ્ઠી પણ મેળવી લેવાઈ છે. રજા ચિઠ્ઠી મળ્યા પછી મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ સહીત કોઈ પણ વેરો ભરવાનો હોતો નથી. તેની કોર્પોરેશનના કર્મચારીઓની પણ જાણ છે.

મ્યુનિ.કોર્પોરેશનના પ્લાનીગ વિભાગોમાંથી રજા ચીઠ્ઠી અપાયા બાદ આ અંગે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગને જાણ કરવાની હોય છે. જેના ભાગરૂપે સોસાયટીના લેટર પેડ ઉપરાંત ડેવલપર્સ તરફથી પણ પોતાની રીતે મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ વિભાગને રજા ચીઠ્ઠીની ઝેરોક્ષ કોપી સાથે જાણ કરાય છે. જાણ કરાયા ત્યારે ટેક્ષ વિભાગના કર્મચારીઓ જણાવે છે કે હવે નવું બિલ્ડીગ તૈયાર થયા પછી જ ટેક્ષ બિલ આવશે. ત્યાં સુધી કોઈ પણ ટેક્ષ ભરવાનો નહી આવે. પરંતુ નાણાકીય વર્ષની શરૂઆત થાય અને ટેક્ષ બિલ તૈયાર થાય તેવા તરત જ પ્રોપર્ટી ટેક્ષધારકોને ટેક્ષની રકમ ભરવા મેસેજ કરાય છે. હાલ ટેક્ષ ભરવાના મેસેજ કરાતા રીડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...