Friday, January 23, 2026

ન્યૂ યર પહેલા જ SOG નું સરપ્રાઈઝ ઓપરેશન ! SG હાઈવે પર ડ્રગ્સ ટેસ્ટિંગનું સ્પેશિયલ અભિયાન હાથ ધરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ યરની ઉજવણી પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના SG હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. SOGની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા. જોકે, સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે SOG દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ નશો કરનાર મળી આવ્યો નહોતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ SOG દ્વારા ન્યૂ યરની ઉજવણી પહેલા જ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખસોને પકડવા માટે એસ.જી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન SOG દ્વારા અનેક મોંઘીદાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું. ન્યૂ યરની પાર્ટીમાં યુવાઓ નશાના ચક્કરમાં ના ફસાય, તે માટે SOG દ્વારા ચાર અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું.

હવે પોલીસે નશાખોરોને પડક્વા માટે આધુનિક કીટનો ઉપયોગ કર્યો છે, જેમાં સલાઈવા (લાળ)ના નમૂનાથી જ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણ થઈ જશે, એ પણ માત્ર પાંચ મિનિટમાં. થર્ટી ફર્સ્ટ આવતા નશાકારક પ્રદાર્થોનું સેવન વધી જતું હોય છે જેને રોકવા માટે અમદાવાદ SOGની વિવિધ પોલીસ ટીમો દ્વારા આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ શરૂ કર્યો છે.

અમદાવાદમાં ન્યૂ યરના સ્વાગતમાં નશાનું ગ્રહણ ન લાગે તે માટે અમદાવાદ SOG દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવા ડ્રગ્સ, ચરસ કે ગાંજાના નશામાં રસ્તા પર ન ઉતરે તે માટે SOGએ FSLની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ખાસ ડ્રાઈવ 25મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...