Tuesday, January 20, 2026

RERAએ બહાર પાડી નવી SOP, હવે ઘેર બેઠા નોંધાવી શકશે ફરિયાદ, તત્કાલ આવી જશે ફરિયાદનો ઉકેલ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રક્રિયાને વધુ વેગવાન અને પારદર્શક બનાવવાનો છે.હવે મિલકત ખરીદદારો ઘરે બેઠા જ ગુજરાત RERA ના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. જો કોઈ અરજદાર ઓનલાઇન ફરિયાદ નોંધાવે છે, તો તેણે ફરિયાદ કર્યાના સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી એટલે કે હાર્ડ કોપી RERA કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ નિર્ણયથી બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિવાદોનો નિકાલ ઝડપથી આવશે તેવી આશા સેવાઈ રહી છે.

દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત: વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.

RERA ડેશબોર્ડ – માહિતીનું કેન્દ્ર: કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.

ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ: SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

ફોર્મ A: કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે.
ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે.

આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે. આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...