Thursday, March 5, 2026

RERAએ બહાર પાડી નવી SOP, હવે ઘેર બેઠા નોંધાવી શકશે ફરિયાદ, તત્કાલ આવી જશે ફરિયાદનો ઉકેલ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રક્રિયાને વધુ વેગવાન અને પારદર્શક બનાવવાનો છે.હવે મિલકત ખરીદદારો ઘરે બેઠા જ ગુજરાત RERA ના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. જો કોઈ અરજદાર ઓનલાઇન ફરિયાદ નોંધાવે છે, તો તેણે ફરિયાદ કર્યાના સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી એટલે કે હાર્ડ કોપી RERA કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ નિર્ણયથી બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિવાદોનો નિકાલ ઝડપથી આવશે તેવી આશા સેવાઈ રહી છે.

દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત: વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.

RERA ડેશબોર્ડ – માહિતીનું કેન્દ્ર: કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.

ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ: SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

ફોર્મ A: કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે.
ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે.

આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે. આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...