અમદાવાદ : અમદાવાદમાં ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. લોકો 10 દિવસ પહેલાથી જ માર્કેટમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ લોકોની ધાબા પર ભીડ જામી જતી હોય છે અને લપેટ લપેટની બૂમો પણ શરુ થઈ જાય છે. ત્યારે આ વખતે પણ ઉત્તરાયણને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને બીજા અથવા ભય પહોંચાડે એવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ પર દોડી પતંગ પણ પકડી શકાશે નહીં. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અકસ્માતોની ઘટના બનતી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ વ્યક્તિ જો આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવા માટે લોકો ધાબાઓ ભાડા ઉપર લેતા હોય છે. ત્યારે તે ધાબાના ભાવમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી પોતાના પરિવાર સામે ધાબાઓ ભાડે રાખી બે દિવસ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે.


