Tuesday, January 20, 2026

અમદાવાદના આ પૂર્વ ધારાસભ્યે પોલીસ કમિશનરને કરી રજૂઆત, રિવરફ્રન્ટની ગુજરી બજાર બની બકરામંડી?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પૂર્વના રિવરફ્રન્ટ ભરાતી રવિવારી બજાર એટલે કે ગુજરી બજાર 600 વર્ષથી પણ વધુ જૂની પરંપરા ધરાવે છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બાદ તેને વ્યવસ્થિત પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યા હતા. ‘અહેમદશાહ ગુજરી એસોસિએશન’ (AGA) દ્વારા સંચાલિત આ બજાર માટેના ચોક્કસ 19 નિયમો છે, જેમાં પશુ-પક્ષીઓના વેચાણ પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પરંતુ હવે આ બજારમાં બકરા અને ઘેટાના વેચાણ શરૂ થતાં અસંતોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના જમાલપુર-ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, અગાઉ આ ગુજરી બજારમાં ક્યારેય પશુઓનું વેચાણ થતું નહોતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં બકરા અને ઘેટા વેચાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે બજાર ધીમે ધીમે બકરામંડીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક રવિવારથી ગુજરી બજારના પ્રવેશદ્વાર અને તેની આસપાસના રસ્તાઓ પર મોટા પાયે બકરા અને ઘેટાના વેચાણ માટે વેપારીઓ ઉમટી રહ્યા છે.બજારના નિયત પ્લેટફોર્મ સિવાય રિવરફ્રન્ટના રસ્તાઓ પર પશુઓ લાવવામાં આવતા હોવાથી ટ્રાફિક અને અવરજવરની સમસ્યા વધી છે.રિવરફ્રન્ટ એ શહેરનું આકર્ષણ છે, પરંતુ પશુઓના કારણે ત્યાં ફેલાતી ગંદકી અને દુર્ગંધથી પર્યટકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિવરફ્રન્ટ પર ફરવા આવતા લોકોનું માનવું છે કે બકરામંડીના કારણે આ સ્થળનું સૌંદર્ય અને શિસ્ત જોખમાઈ રહી છે. ગુજરી બજારમાં એન્ટિક ચીજવસ્તુઓ, કપડાં અને ઘરવખરીના વેચાણની પરંપરા છે, પશુ બજારની અહીં કોઈ કાયદેસરની જોગવાઈ નથી.અચાનક ઉમટી પડતા પશુઓ અને ભીડના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યું છે કે આ બાબત અંગે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ અગાઉ જાણ કરવામાં આવી હતી. છતાં હાલ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે સીધા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત સાથે સ્થળના ફોટા અને વીડિયો પુરાવા રૂપે મોકલવામાં આવ્યા છે અને આ મુદ્દે વ્યક્તિગત રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ જેવા જાહેર અને પર્યટન સ્થળ પર આવા પ્રકારના વેપારથી કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા અને ટ્રાફિક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ મુદ્દે પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તેના પર શહેરવાસીઓની નજર ટકી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...