Thursday, March 5, 2026

AMC ની મોટી કાર્યવાહી, બાકી મિલકત વેરો વસૂલવા 600થી વધુ મિલકતો સીલ કરી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મિલકત વેરો બાકી રાખનારા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 590 યુનિટોને સીલ કરવામાં આવ્યાં છે. આ સાથે સાથે આશરે 1.79 કરોડ રૂપિયાની બાકી મિલકત વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી હેઠળ કુલ 600થી વધુ યુનિટો પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે મિલકત વેરો ના ભરનારા લોકોમાં ફફડાય વ્યાપ્યો છે.

લાંબા સમયથી બાકી મિલકત વેરો રાખતા ઘણા મિલકત ધારકોને AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવા છતાં પણ ટેક્સ ભરવામાં ના આવ્યો હોવાના કારણે તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવારની નોટિસ અને સમયમર્યાદા બાદ પણ ટેક્સ ન ચૂકવનારાઓને હવે કોઇ છૂટ આપવામાં નથી આવતી.

મળતી વિગતો પ્રમાણે આશરે 4.10 લાખ કરદાતાઓને WhatsApp રીમાઇન્ડર મોકલ્યા, જેમાં તેમને તેમના બાકી રહેલા મિલકત વેરા ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો પ્રમાણે જે એકમો દ્વારા ટેક્સ ચૂકવવામાં નથી આવ્યો તે એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

​સારી વાત એ છે કે, વ્યાજ માફી યોજનાને પ્રોત્સાહન આપવા માટે, AMC એ અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા-હાટકેશ્વર, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર-વિરાટનગર અને રામોલ-હાથીજણ એમ આઠ ચૂંટણી વોર્ડમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગ રૂપે રિક્ષા-આધારિત આઉટરીચ દ્વારા લગભગ 35,000 પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

AMCના તમામ સાત ઝોનમાંથી કર વસૂલવામાં આવ્યો તેની વાત કરવામાં આવે તો, મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ 3.60 કરોડ રૂપિયા, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ 1.76 કરોડ રૂપિયા, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ 2.40 કરોડ રૂપિયા, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ 2.90 કરોડ રૂપિયા, પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓએ 2.84 કરોડ રૂપિયા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ 5.89 કરોડ રૂપિયા અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ 4.63 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભર્યો છે. જેના કારણે એએમસીની તિજોરીમાં મોટી આવક નોંધાઈ છે.

પૂર્વઝોન ટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં રહેણાંક કે બિન-રહેણાંક જે પણ મિલકતોના વધુમાં વધુ ટેક્સ બાકી હશે તેવી સોસાયટીઓના નળ-ગટર કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સ ન ભરનારા લોકો સામે સિલીંગ ઉપરાંત નળ-ગટરના કનેક્શન કાપવા તેમજ સરકારશ્રીના ચોપડે બોજા નોંધ, જપ્તી, હરાજી તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...