Wednesday, January 14, 2026

અમદાવાદમાં વેજના બદલે નોનવેજ પીરસવાના કેસમાં રેસ્ટોરન્ટને 25 હજાર વળતર ચૂકવવાનો આદેશ

spot_img
Share

અમદાવાદ : શહેરના શેલામાં આવેલ ક્લબ O7માં આવેલી ક્યુબ લોન્જની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં બ્રાહ્મણ ધર્મના અનુયાયી પરિવારે વેજ ઓર્ડર કર્યો હતો જેના બદલે લોન્જ દ્વારા નોનવેજ પીરસીને બ્રાહ્મણ પરિવારની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ક્યુબ લોન્જની ભૂલને કારણે ગ્રાહક પરિવારે કાયદેસર પગલાં લીધા હતા. ખોટી ડિશ સર્વ કરવા અંગે કમિશને ક્યુબ લોન્જને ગ્રાહકને કુલ રૂ.25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના શેલા વિસ્તારમાં રહેતા ગૌરાંગ રાવલ અને તેમનો પરિવાર 7 માર્ચ 2024ના રોજ બપોરે 1.45 વાગ્યે ક્લબ O7ની ક્યુબ લોન્જમાં લંચ માટે ગયા હતા. તેમણે વેજ મખ્ખનવાલા, બટર રોટી, દાલ ફ્રાય, પાપડ અને છાશનો ઓર્ડર આપ્યો. ફૂડ સર્વ થયા બાદ વેજ મખ્ખનવાલાની ડિશ શંકાસ્પદ લાગતાં, વેઈટર અને પછી શેફને બોલાવવામાં આવ્યા. શેફે વેજ હોવાની ખાતરી આપી, પરંતુ જ્યારે ટેસ્ટ કર્યો તો તે મુર્ગ મખ્ખનવાલા (ચિકન) નીકળી.

આ ઘટનાની જાણ થતાં જ મેનેજરને બોલાવવામાં આવ્યા, જેમણે સ્વીકાર્યું કે ફૂડ નોનવેજ છે. આ શુદ્ધ બ્રાહ્મણ પરિવાર માટે આઘાતજનક બનાવ બન્યો. ગૌરાંગ રાવલની બહેન રડવા લાગી અને મેનેજરે લેખિતમાં માફી માંગી. લૉન્જ મેનેજમેન્ટે લંચ ફ્રીમાં આપવા કહ્યું, પરંતુ તેમણે અસ્વીકાર કર્યો અને રેસ્ટોરન્ટ છોડ્યું. ઘરે પરત ફર્યા બાદ ગૌરાંગની બહેનને ઉલ્ટી થઈ અને તબિયત બગડી.

આ ઘટનાના પગલે ગૌરાંગ રાવલે ક્યુબ લોન્જને લીગલ નોટિસ પાઠવી. કોઈ જવાબ ન મળતાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ.30 લાખનો દાવો દાખલ કર્યો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.

સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...