Monday, March 2, 2026

અમદાવાદમાં વેજના બદલે નોનવેજ પીરસવાના કેસમાં રેસ્ટોરન્ટને 25 હજાર વળતર ચૂકવવાનો આદેશ

spot_img
Share

અમદાવાદ : શહેરના શેલામાં આવેલ ક્લબ O7માં આવેલી ક્યુબ લોન્જની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં બ્રાહ્મણ ધર્મના અનુયાયી પરિવારે વેજ ઓર્ડર કર્યો હતો જેના બદલે લોન્જ દ્વારા નોનવેજ પીરસીને બ્રાહ્મણ પરિવારની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ક્યુબ લોન્જની ભૂલને કારણે ગ્રાહક પરિવારે કાયદેસર પગલાં લીધા હતા. ખોટી ડિશ સર્વ કરવા અંગે કમિશને ક્યુબ લોન્જને ગ્રાહકને કુલ રૂ.25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના શેલા વિસ્તારમાં રહેતા ગૌરાંગ રાવલ અને તેમનો પરિવાર 7 માર્ચ 2024ના રોજ બપોરે 1.45 વાગ્યે ક્લબ O7ની ક્યુબ લોન્જમાં લંચ માટે ગયા હતા. તેમણે વેજ મખ્ખનવાલા, બટર રોટી, દાલ ફ્રાય, પાપડ અને છાશનો ઓર્ડર આપ્યો. ફૂડ સર્વ થયા બાદ વેજ મખ્ખનવાલાની ડિશ શંકાસ્પદ લાગતાં, વેઈટર અને પછી શેફને બોલાવવામાં આવ્યા. શેફે વેજ હોવાની ખાતરી આપી, પરંતુ જ્યારે ટેસ્ટ કર્યો તો તે મુર્ગ મખ્ખનવાલા (ચિકન) નીકળી.

આ ઘટનાની જાણ થતાં જ મેનેજરને બોલાવવામાં આવ્યા, જેમણે સ્વીકાર્યું કે ફૂડ નોનવેજ છે. આ શુદ્ધ બ્રાહ્મણ પરિવાર માટે આઘાતજનક બનાવ બન્યો. ગૌરાંગ રાવલની બહેન રડવા લાગી અને મેનેજરે લેખિતમાં માફી માંગી. લૉન્જ મેનેજમેન્ટે લંચ ફ્રીમાં આપવા કહ્યું, પરંતુ તેમણે અસ્વીકાર કર્યો અને રેસ્ટોરન્ટ છોડ્યું. ઘરે પરત ફર્યા બાદ ગૌરાંગની બહેનને ઉલ્ટી થઈ અને તબિયત બગડી.

આ ઘટનાના પગલે ગૌરાંગ રાવલે ક્યુબ લોન્જને લીગલ નોટિસ પાઠવી. કોઈ જવાબ ન મળતાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ.30 લાખનો દાવો દાખલ કર્યો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.

સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...