Friday, March 6, 2026

સાવધાન અમદાવાદીઓ : જો કોમર્શિયલ મિલકતોનો 5 લાખનો ટેકસ બાકી હશે તો કડક કાર્યવાહી કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 લાખથી વધુનો બાકી ટેક્સ હોય એવા કોમર્શિયલ એકમો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. સિબિલ સ્કોર સાથે આવી કોમર્શિયલ મિલકતોને જોડવા પ્રક્રિયા શરૂ કરાવા આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષ વિભાગ બાકી કરદાતાઓ સાથે કડક પગલા ભરશે. કોમર્શિયલ એકમો સામે ટેક્ષ બાકી હશે તો કાર્યવાહી કરાશે. સિબિલ સ્કોર ઓછો હોય એવા એકમોને બેંકો તરફથી ધિરાણ મેળવવામાં મુશ્કેલ થતી હોય છે. 5 લાખથી વધુ બાકી પ્રોપર્ટી ટેક્સવાળી મિલકતોને સાણસામાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનએ કવાયત હાથ ધરી છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 5.50 લાખ નોંધાયેલી કોમર્શિયલ મિકલતો છે. જે પૈકી અંદાજે 1000થી 1500 જેવી મિલકતોમાં 5 લાખથી વધુનો ટેક્સ બાકી છે. જેમની સામે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી શરૂ કરશે. આ ઉપરાંત જો આ કામગીરીમાં સફળતા મળશે તો ભવિષ્યમાં બીજી અન્ય મોટી કાર્યવાહી પણ કરવામાં આવશે.

વધુમાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સની તોતિંગ આવક થઇ છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14 સપ્ટેમ્બર સુધીમાં 130 કરોડની વધુ આવક થઈ છે. પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી મોટી આવક થઇ છે. અમૃત મહોત્સવ યોજના હેઠળ પણ 22000 લોકોએ લાભ લીધો હતો. 29 કરોડની આવક થઈ, જયારે 5 કરોડનું રિબેટ અપાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...