અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદવાસીઓને મેટ્રો ટ્રેનની સવારી કરવા મળશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર સ્થિત સ્ટેશનેથી મેટ્રોની સવારી કરીને વિધિવત ઉદઘાટન કર્યું હતું. જોકે જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે.