Wednesday, May 6, 2026

અમદાવાદના બહુચર્ચિત જીવરાજપાર્ક બ્રિજ હત્યાકાંડ : 36 ફટકા મારી વેવાઈની હત્યા કરનાર 3 શખસ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના જીવરાજપાર્ક બ્રિજ નીચે થયેલા હત્યાકાંડના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત 2 મેના રોજ પુત્રવધૂના ગર્ભપાતના વિવાદના કારણે પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને વેવાઈની હત્યા કરી હતી. હત્યા મામલે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર પત્નીના પિયર પક્ષના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ હત્યા કોઈ અજાણ્યા ગુનેગારોએ નહીં, પરંતુ મૃતક નટુ પરમારના પુત્ર કૌશિક પરમારના સસરા પક્ષે કરી છે અને આ હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ કૌશિક પરમારના મામાજી સસરા છે.હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપી જેમાં કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પાંચ વર્ષ જૂના પ્રેમ લગ્નનો વિવાદ હતો. નટુ પરમારના દીકરા કૌશિકે પાંચ વર્ષ પહેલા માલવિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.

જોકે, છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે વિવાદ ચાલ્યો આવતો હતો. આ વિવાદનું મુખ્ય કારણ માલવિકાનો થયેલો ગર્ભપાત હતો. ગર્ભપાત કઈ રીતે થયો અને તે માટે કોણ જવાબદાર છે, તે બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડા ચાલતા હતાં. આ જ અદાવતમાં માલવિકાના સંબંધીઓએ નટુ પરમારની હત્યા કરી હતી.આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે મોટો પ્લાન બનાવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ બાઇક લઈને રાણીપ પહોંચ્યા, ત્યાં બાઇક મૂકીને બસ સ્ટેન્ડથી બનાસકાંઠા ફરાર થઈ ગયા હતાં. પોલીસને થાપ આપવા માટે તેઓ સતત લોકેશન બદલતા હતા અને નાના ગેસ્ટ હાઉસ કે મંદિરોમાં આશરો લેતા હતાં.

જોકે, ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાને બનાસકાંઠાથી દબોચી લીધા છે, જ્યારે કેતન ગળચોટ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે ચક્રોગતિ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...