અમદાવાદ : મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે ત્યારે અમદાવાદમાં પણ આગમચેતીના પગલાં માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલું અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યા મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
મોરબી દુર્ઘટના બાદ અમદાવાદના અટલ બ્રિજ પર આવતાં પ્રવાસીઓ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અટલ બ્રિજ પર એક સાથે 3000 લોકો જ મુલાકાત લઈ શકશે. એક સાથે 3000થી વધારે લોકો મુલાકાત લઈ શકશે નહીં. ગઈકાલે 35 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 8.30 વાગ્યા સુધી ટિકિટ અપાઈ હતી.બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.