Tuesday, April 7, 2026

હાઉસીંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સોસાયટી લેવલે આવતી સમસ્યાઓ…!!

spot_img
Share

અમદાવાદ : એક ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, એનો સ્પષ્ટ મતલબ એ થાય કે જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.આવું જ કંઈક રીડેવલપમેન્ટ ઇચ્છતી કેટલીક સોસાયટીઓમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક ખોટી માંગણીઓ કરીને યેનકેન પ્રકારે રીડેવલપમેન્ટના પવિત્ર હવનમાં હાડકા નાખવામાં આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવા વાડજ અને નારણપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, કેટલીક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા શરુ થઇ છે તો ક્યાંક અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. એક સોસાયટીમાં તો બિલ્ડર અને એસોસીએશન લાખો કમાઈ જશે એવી વાતો ફેલાવી વિઘ્નસંતોષી લોકો રીડેવલપમેન્ટને યેનકેન પ્રકારે રોકી પોતાનો રૂઆબ ઝાટકાતા હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસીંગ અને રીડેવલપમેન્ટના એક જાણકાર મુજબ…
૧) વ્યક્તિગત સ્વાર્થને કારણે ૧૦૦% સહમત થતા નથી.
૨) વ્યક્તિગત રીતે મને મારા મકાનમાં શું મળે છે, કેટલો ફાયદો થાય છે, તે બધુ ના વિચારતા શું નથી મળતું તથા બીજાને શું મળે છે તેના પર ફોકસ કરે છે.
૩) બિલ્ડર આ પ્રોજેક્ટ્‌સમાંથી કરોડો કમાય છે તો મને કેમ એમાંથી ભાગ ના આપે તેવી અપેક્ષા અને ગણતરીઓ.
૪) ફર્નીચરના ખર્ચના નામે ગીફ્ટ મની માંગી વિરોધ કરવો.
૫) વધું ભાડા કે ભાડું વધી જાયની દહેશત ફેલાવી અન્ય લોકોમાં ડર ફેલાવવો.
૬) એસોસીએશન કમીટી કે આગળ પડતા આગેવાનોને યેન કેન પ્રકારે બદનામ કરવા કે હેરાન કરવા.
૭) અસંમત સભ્યો દ્વારા સમૂહનું હીત બાજુ પર મૂકી રીડેવલપમેન્ટ અટકાવવાના બધાજ પ્રયાસો કરવા.
૮) પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજ પર આવે ત્યારે લાલચું સભ્યો દ્વારા એસોસીએશન પર કબ્જો જમાવી પોતાનો વ્યક્તિગત લાભ ખાટવાની યોજનાઓ. ઘણીવાર એવા મકાનમાલીક કે તો જેઓ એસોસીએશન રેકોર્ડ પર સભ્ય જ ના હોય તેવા પણ હોદ્દેદારોને સલાહ આપવા કે કબ્જો જમાવવા જાય છે.
૯) વ્યક્તિગત લાલચથી પ્રેરાઈ રહીશો વર્ષોથી આ કામને કિનારે લાવનાર હોદ્દેદારો સાથે અંતમાં વિશ્વાસઘાત કરતા પણ ખચકાતા નથી. ક્યારેક તો સંમતી આપ્યા બાદ પણ ફરી જાય કે સંમતી પાછી ખેંચવાના પ્રયત્નો કરે છે.
૧૦) ઘણીવાર કોઈપણ વ્યક્તી કે સંસ્થા દ્વારા ફોડાયેલ કોઈ વ્યક્તી (મોહરા) વડે સોસાયટી સભ્યોમાં આંતરીક ઝઘડાઓ કે વિરોધ ઉભો કરી પ્રોજેક્ટને ઘાંચ માં પાડી લટકાવવા કે અટકાવવાની પ્રવૃતીઓ થાય છે.
૧૧) ક્યારેક અંગત સ્વાર્થમાં આ સમૂહના કામમાં રહીશોમાં વ્યક્તિગત ઘર્ષણ કે ઝઘડાઓ થાય છે.
૧૨) અસંમત સભ્યો દ્વારા પોલીસી કે કાયદા અજાણતા કે જાણતા હોવા છતા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સારા વાતાવરણને ડોહળવાનો શક્ય પ્રયાસ કરવો.
૧૩) અમુક લોકો છેલ્લે આવી રીડેવલપમેન્ટનો વિરોધ એટલે કરે છે કે બિલ્ડરનો તોડ કરીશું તેવી તેઓની પહેલેથી ગણતરીઓ હોય છે.
૧૪) ક્યારેક આસપાસની સોસાયટીના સભ્યો કે આગેવાનો કોઈપણ દ્વેષથી પણ રીડેવલપમેન્ટમાં જતી અન્ય સોસાયટીના સારા કામમાં રોડા નાંખી મુશ્કેલીઓ વધારતા હોય તેવું પણ બની શકે છે.
૧૫) વોટબેંકની રાજનીતીમાં કે સરકારી કાયદાના અમલમાં ઢીલાસ છે માટે આવી પરીસ્થીતીમાં કાયદાનો ડર નહી હોવાને કારણે અસંમત સભ્યો તેનો ફાયદો ખૂબ ઉઠાવે છે અને બહુમત રહીશો પરેશાન થાય છે.
૧૬) એસોસિએશન કમિટીના સભ્યોમાંથી કોઈકની વ્યક્તિગત લાલસા, દ્વેષ કે જૂથવાદ પણ ક્યારેક સોસાયટી માટે હાનિકારક બની શકે છે.
૧૭) ક્યારેક બિલ્ડર અને અધીકારીઓની કે અન્યોની સાંઠગાંઠના કારણે પ્રોજેક્ટમાં યોગ્ય ઝડપ શક્ય બનતી નથી, જેથી સોસાયટીના એસોસીએશન હોદ્દેદારોને સંમત સભ્યોના અનેક પ્રશ્નો કે રોષનો સામનો કરવો પડે છે.
૧૮) નિયમોઆધીન ટેન્ડરની ફાળવણી બાદ જો નિશ્ચિત સમયમાં પ્રોજેક્ટ શરૂ થતો નથી, તો તેનો સૌથી વધું ફાયદો ફક્ત અને ફક્ત ડેવલોપરને જ થાય છે. બાકી બીજા કોઈને લાભ થતો નથી. જો પ્રોજેક્ટ ડીલે થાય તો કેમ થાય છે? કોણ કરાવે છે ? કોના થકી થાય છે?
૧૯) સકારાત્મક સભ્યો કે જેઓ રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યાં છે તેઓ પણ ખોટા વિરોધીઓનો વ્યક્તિગત કે સંગઠિત થઈ પ્રતિકાર કરતા નથી, જેથી આવા લેભાગું લોકો મોકાના ફાયદો ઉઠાવી રહ્યાં છે.ખરેખર તો રહીશોએ જ જાહેરમાં આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ…

તેઓના મત મુજબ આવા જુજ લોકો દ્વારા આમને આમ ખોટો વિરોધ થતો રહેશે તો જેનું પરિણામ એ આવશે કે સોસાયટીઓમાં હોદ્દેદારો પણ નિરૂત્સાહી થઈ કામ છોડી દે છે. અથવા તો રિડેવલપમેન્ટને બાજુમાં મુકી દેશે.આમ લોટરી સમાન રીડેવલપમેન્ટના લાભથી રહીશો વંચીત ન રહે તે માટે તમામ સભ્યોએ આગળ આવવું જાેઈએ અને રિડેવલપમેન્ટમાં રસ દાખવવો જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...