Wednesday, September 17, 2025

હાઉસીંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સોસાયટી લેવલે આવતી સમસ્યાઓ…!!

Share

Share

અમદાવાદ : એક ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, એનો સ્પષ્ટ મતલબ એ થાય કે જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.આવું જ કંઈક રીડેવલપમેન્ટ ઇચ્છતી કેટલીક સોસાયટીઓમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક ખોટી માંગણીઓ કરીને યેનકેન પ્રકારે રીડેવલપમેન્ટના પવિત્ર હવનમાં હાડકા નાખવામાં આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવા વાડજ અને નારણપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, કેટલીક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા શરુ થઇ છે તો ક્યાંક અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. એક સોસાયટીમાં તો બિલ્ડર અને એસોસીએશન લાખો કમાઈ જશે એવી વાતો ફેલાવી વિઘ્નસંતોષી લોકો રીડેવલપમેન્ટને યેનકેન પ્રકારે રોકી પોતાનો રૂઆબ ઝાટકાતા હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસીંગ અને રીડેવલપમેન્ટના એક જાણકાર મુજબ…
૧) વ્યક્તિગત સ્વાર્થને કારણે ૧૦૦% સહમત થતા નથી.
૨) વ્યક્તિગત રીતે મને મારા મકાનમાં શું મળે છે, કેટલો ફાયદો થાય છે, તે બધુ ના વિચારતા શું નથી મળતું તથા બીજાને શું મળે છે તેના પર ફોકસ કરે છે.
૩) બિલ્ડર આ પ્રોજેક્ટ્‌સમાંથી કરોડો કમાય છે તો મને કેમ એમાંથી ભાગ ના આપે તેવી અપેક્ષા અને ગણતરીઓ.
૪) ફર્નીચરના ખર્ચના નામે ગીફ્ટ મની માંગી વિરોધ કરવો.
૫) વધું ભાડા કે ભાડું વધી જાયની દહેશત ફેલાવી અન્ય લોકોમાં ડર ફેલાવવો.
૬) એસોસીએશન કમીટી કે આગળ પડતા આગેવાનોને યેન કેન પ્રકારે બદનામ કરવા કે હેરાન કરવા.
૭) અસંમત સભ્યો દ્વારા સમૂહનું હીત બાજુ પર મૂકી રીડેવલપમેન્ટ અટકાવવાના બધાજ પ્રયાસો કરવા.
૮) પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજ પર આવે ત્યારે લાલચું સભ્યો દ્વારા એસોસીએશન પર કબ્જો જમાવી પોતાનો વ્યક્તિગત લાભ ખાટવાની યોજનાઓ. ઘણીવાર એવા મકાનમાલીક કે તો જેઓ એસોસીએશન રેકોર્ડ પર સભ્ય જ ના હોય તેવા પણ હોદ્દેદારોને સલાહ આપવા કે કબ્જો જમાવવા જાય છે.
૯) વ્યક્તિગત લાલચથી પ્રેરાઈ રહીશો વર્ષોથી આ કામને કિનારે લાવનાર હોદ્દેદારો સાથે અંતમાં વિશ્વાસઘાત કરતા પણ ખચકાતા નથી. ક્યારેક તો સંમતી આપ્યા બાદ પણ ફરી જાય કે સંમતી પાછી ખેંચવાના પ્રયત્નો કરે છે.
૧૦) ઘણીવાર કોઈપણ વ્યક્તી કે સંસ્થા દ્વારા ફોડાયેલ કોઈ વ્યક્તી (મોહરા) વડે સોસાયટી સભ્યોમાં આંતરીક ઝઘડાઓ કે વિરોધ ઉભો કરી પ્રોજેક્ટને ઘાંચ માં પાડી લટકાવવા કે અટકાવવાની પ્રવૃતીઓ થાય છે.
૧૧) ક્યારેક અંગત સ્વાર્થમાં આ સમૂહના કામમાં રહીશોમાં વ્યક્તિગત ઘર્ષણ કે ઝઘડાઓ થાય છે.
૧૨) અસંમત સભ્યો દ્વારા પોલીસી કે કાયદા અજાણતા કે જાણતા હોવા છતા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સારા વાતાવરણને ડોહળવાનો શક્ય પ્રયાસ કરવો.
૧૩) અમુક લોકો છેલ્લે આવી રીડેવલપમેન્ટનો વિરોધ એટલે કરે છે કે બિલ્ડરનો તોડ કરીશું તેવી તેઓની પહેલેથી ગણતરીઓ હોય છે.
૧૪) ક્યારેક આસપાસની સોસાયટીના સભ્યો કે આગેવાનો કોઈપણ દ્વેષથી પણ રીડેવલપમેન્ટમાં જતી અન્ય સોસાયટીના સારા કામમાં રોડા નાંખી મુશ્કેલીઓ વધારતા હોય તેવું પણ બની શકે છે.
૧૫) વોટબેંકની રાજનીતીમાં કે સરકારી કાયદાના અમલમાં ઢીલાસ છે માટે આવી પરીસ્થીતીમાં કાયદાનો ડર નહી હોવાને કારણે અસંમત સભ્યો તેનો ફાયદો ખૂબ ઉઠાવે છે અને બહુમત રહીશો પરેશાન થાય છે.
૧૬) એસોસિએશન કમિટીના સભ્યોમાંથી કોઈકની વ્યક્તિગત લાલસા, દ્વેષ કે જૂથવાદ પણ ક્યારેક સોસાયટી માટે હાનિકારક બની શકે છે.
૧૭) ક્યારેક બિલ્ડર અને અધીકારીઓની કે અન્યોની સાંઠગાંઠના કારણે પ્રોજેક્ટમાં યોગ્ય ઝડપ શક્ય બનતી નથી, જેથી સોસાયટીના એસોસીએશન હોદ્દેદારોને સંમત સભ્યોના અનેક પ્રશ્નો કે રોષનો સામનો કરવો પડે છે.
૧૮) નિયમોઆધીન ટેન્ડરની ફાળવણી બાદ જો નિશ્ચિત સમયમાં પ્રોજેક્ટ શરૂ થતો નથી, તો તેનો સૌથી વધું ફાયદો ફક્ત અને ફક્ત ડેવલોપરને જ થાય છે. બાકી બીજા કોઈને લાભ થતો નથી. જો પ્રોજેક્ટ ડીલે થાય તો કેમ થાય છે? કોણ કરાવે છે ? કોના થકી થાય છે?
૧૯) સકારાત્મક સભ્યો કે જેઓ રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યાં છે તેઓ પણ ખોટા વિરોધીઓનો વ્યક્તિગત કે સંગઠિત થઈ પ્રતિકાર કરતા નથી, જેથી આવા લેભાગું લોકો મોકાના ફાયદો ઉઠાવી રહ્યાં છે.ખરેખર તો રહીશોએ જ જાહેરમાં આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ…

તેઓના મત મુજબ આવા જુજ લોકો દ્વારા આમને આમ ખોટો વિરોધ થતો રહેશે તો જેનું પરિણામ એ આવશે કે સોસાયટીઓમાં હોદ્દેદારો પણ નિરૂત્સાહી થઈ કામ છોડી દે છે. અથવા તો રિડેવલપમેન્ટને બાજુમાં મુકી દેશે.આમ લોટરી સમાન રીડેવલપમેન્ટના લાભથી રહીશો વંચીત ન રહે તે માટે તમામ સભ્યોએ આગળ આવવું જાેઈએ અને રિડેવલપમેન્ટમાં રસ દાખવવો જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...