Tuesday, February 10, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહની હંમેશા પરંપરા રહી છે કે, તહેવાર કોઈ પણ હોય, ઉજવણી કરવા અમદાવાદ ચોક્કસ આવે છે. ઉતરાયણ પર્વ દરમિયાન પણ પોતાના લોકસભાના મતવિસ્તારના નાગરિકો સાથે પણ ઉતરાયણ પર્વની ઉજવણી કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.દર ઉતરાયણની જેમ આ ઉતરાયણમાં પણ અમિત શાહે પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળશે.

અમિતશાહના ગુજરાત પ્રવાસને લઈને વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમીત શાહનો બે દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયેલો છે.જે મુજબ 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાત આવશે. 14 જાન્યુઆરીએ અમિત શાહ પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. જ્યારે અને આ દરમિયાન તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા પણ જશે. તો 15 જાન્યુઆરીએ તેઓ કચ્છની બોર્ડરની મુલાકાત લેવા પણ જઈ શકે છે.

મહત્વું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ઉત્તરાયણનો પર્વ હંમેશા પરિવાર અને કાર્યકરો સાથે મનાવતા હોય છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ પરિવારજનો અને કાર્યકરતાઓ સાથે આ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળશે. અમિતશાહ અમદાવાદમાં વેજલપુર, ઘાટલોડિયા અને કલોલમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...