અમદાવાદ : કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહની હંમેશા પરંપરા રહી છે કે, તહેવાર કોઈ પણ હોય, ઉજવણી કરવા અમદાવાદ ચોક્કસ આવે છે. ઉતરાયણ પર્વ દરમિયાન પણ પોતાના લોકસભાના મતવિસ્તારના નાગરિકો સાથે પણ ઉતરાયણ પર્વની ઉજવણી કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.દર ઉતરાયણની જેમ આ ઉતરાયણમાં પણ અમિત શાહે પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળશે.
અમિતશાહના ગુજરાત પ્રવાસને લઈને વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમીત શાહનો બે દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયેલો છે.જે મુજબ 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાત આવશે. 14 જાન્યુઆરીએ અમિત શાહ પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. જ્યારે અને આ દરમિયાન તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા પણ જશે. તો 15 જાન્યુઆરીએ તેઓ કચ્છની બોર્ડરની મુલાકાત લેવા પણ જઈ શકે છે.
મહત્વું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ઉત્તરાયણનો પર્વ હંમેશા પરિવાર અને કાર્યકરો સાથે મનાવતા હોય છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ પરિવારજનો અને કાર્યકરતાઓ સાથે આ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળશે. અમિતશાહ અમદાવાદમાં વેજલપુર, ઘાટલોડિયા અને કલોલમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે જશે.