Tuesday, March 10, 2026

અમદાવાદીઓ માટે નવું નજરાણું : હવે ટૂંક સમયમાં રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં જોવા મળતી ક્રુઝ બોટની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ માણી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ આગામી એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ ક્રુઝ શરુ થવા જઈ રહ્યું છે. આ ક્રુઝના અલગ અલગ ભાગો અમદાવાદ પહોંચી ગયા છે અને આગામી ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવામાં આવશે.

અહીં ક્રુઝમાં બેસવા માટે ફૂડ ઓર્ડર કરવો ફરજીયાત રહેશે. સમગ્ર દિવસ દરમિયાન આ ક્રુઝ કાર્યરત રહેશે. સાથે મ્યુઝિકલ થીમનો પણ અહીં આવનારા લોકો લાભ લઇ શકશે.ક્રુઝ રિવરફ્રન્ટના નજારોનો લોકો લાભ લઇ શકે અને પ્રકૃતિ સાથે જોડાઈ શકે તેવો અનુભવ આપતી રેસ્ટોરેન્ટની સુવિધા આપશે.

આ ક્રુઝમાં 125-150 લોકો એક સાથે સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 મિનીટ બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...