Thursday, March 12, 2026

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહનચાલકોનું સન્માન કરી ચોકલેટ ડે ની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસનું ટ્રાફિકના નિયમોને લઇને અનોખું રૂપ સામે આવ્યું છે. ઘણી જગ્યાએ પોલીસે દંડ ફટકારવાના બદલે લોકોને રોકીને સમજાવવાને મહત્વ આપ્યું. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને સમજાવતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહ્યું. આ દરમિયાન પૂર્વના સીટીએમ વિસ્તારમાં ટ્રાફિક ASI પ્રદીપસિંહ વાઘેલા અને TRB જવાનોની પ્રશંસનીય મહેનત સામે આવી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના પૂર્વના સીટીએમ વિસ્તારમાં શહેર ટ્રાફિક દ્વારા ચોકલેટ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફોરવહીલર વાહન ચાલકોએ સીટબેલ્ટ બાંધ્યો હોય તેઓને મોટી ચોકલેટ આપીને અને ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોને પણ વાહનોના નિયમોનું પાલન કરવા બાબતે ચોકલેટ આપીને તેઓનું સન્માન અને આભાર માનવામાં આવ્યો હતો અને નિયમનું પાલન નહી કરનાર વાહનચાલકોને પણ નાની ચોકલેટ આપીને તેઓને નિયમોનું પાલન કરવા માટેની ટ્રાફિક વિભાગ દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી.

શહેર ટ્રાફિક પોલીસની આ સુંદર પહેલથી પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રતા વધે અને પોલીસ પ્રજાની મિત્ર જ છે એવી ભાવના સાથે ઉમદા કાર્ય કરનાર ASI પ્રદીપસિંહ વાઘેલા અને તેમના સાથી TRB જવાનો દ્વારા આજના આ ચોકલેટ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી તે બદલ મિર્ચી ન્યૂઝ પરિવાર સમગ્ર ટ્રાફિક વિભાગનો ખૂબ ખૂબ આભાર માને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...