અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદવાસીને અટલ બ્રિજનું એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. 7 મહિનામાં જ બ્રિજ ઉપરના કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અટલ ફૂટ બ્રિજના ચાર કાચમાંથી એક કાચમાં આ રીતે તિરાડો પડતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર્પોરેશનના અધિકારીએ ગરમીના કારણે કાટ તૂટ્યો હોવાનું જણાવીને લૂલો બચાવ કર્યો છે. કારણ કે, સતત પડી રહેલા માવઠાને કારણે અમદાવાદમાં હજી એટલી બધી ગરમીનો તો પડી જ નથી.
હવે અમદાવાદમાં જાણે બ્રિજને લઇ રાજનીતિ પણ ગરમાઇ હોય તેમ વિપક્ષ પણ આક્ષેપો કરી રહી છે. એવી પણ ચર્ચાએ જોર પકડી છે કે, અમદાવાદ શહેરમાં એક-બે વર્ષથી બ્રિજ ચર્ચામાં છે. અટલ બ્રીજનો ગ્લાસ તૂટ્યો એટલે બેરિકેટ લગાડી દેવાયા. 8 મહિના પહેલા હાટકેશ્વર ફલાય ઓવરમાં ગાબડું પડ્યું પછી બંધ કરી દેવાયો. દોઢ વર્ષ પહેલાં નિર્માણાધિન મુમદપૂરા બ્રિજનો સ્લેબ તૂટ્યો પછી એક વર્ષ કામ બંધ રહ્યું હતું.
અટલ બ્રિજ પરનો કાચમાં તિરાડો પડી હોય તો આવા નબળી કામગીરી કરીને લોકોને જીવ સાથે કેમ રમત રમાઈ રહી છે? તે સૌથી મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.