Friday, March 20, 2026

અમદાવાદમાં લાગુ નહીં થાય : રખડતા ઢોરના નિયત્રંણની AMC નવી પોલિસી હાલ પૂરતી મોકૂફ

spot_img
Share

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ઢોર પર AMC દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે એક પોલિસી તૈયાર કરવામાં આવી હતી. જેના અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી એક નવી દરખાસ્ત લાવી હતી. જો કે અમદાવાદ મ્યુ કમિશ્નરે તેને પરત મોકલી દેતા હાલ દરખાસ્ત ફરી એકવાર લટકી ગઇ છે. આ નિયમ ફરી એકવાર અધરમાં લટકી પડ્યો છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ રજુ કરવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને પરત મોકલી દીધો હતો. રખડતા ઢોર માટેની પોલીસીને કમિશનરે પરત મોકલી દેતા હાલ સમગ્ર મામલો ફરી એકવાર અધરમાં લટકી ગયો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના અનુસાર દરખાસ્તમાં હજુ કેટલાક સુધારા વધારા કરવાની જરૂર છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ મંત્રણા બાદ નવી દરખાસ્ત રજુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી જ છે અને દરખાસ્ત લાવનાર પણ ભાજપ જ છે. જે પ્રકારે પોલિસી પરત મોકલાઇ તે જોતા કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી સ્થિતિ છે. નેતાઓ જ જનતાને ખુશ કરવા વિધેયક લાવે છે અને બીજા નેતાઓ પરત મોકલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ રાખવું, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમોની જોગવાઇ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...