Sunday, March 15, 2026

બજરંગ દળનો કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ, રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળાદહન અને સૂત્રોચાર, જાણો કેમ કરાયો વિરોધ

spot_img
Share

અમદાવાદ : કર્ણાટક થઇ રહેલ ચૂંટણીને લઈને કોંગ્રેસે મેનીફેસ્ટોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ, PFI જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિવેદન પર બજરંગદળના કાર્યકરોમાં દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું અને રાહુલ ગાંધીના ફોટો વાળા પૂતળાનું દહન કરી અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.

અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યાલય પર હિન્દુ વિરોધી, મલ્લૂ મુલ્લા જેવા લખાણના સ્ટીકર લગાવાયા હતા.અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની સામે પૂતળાદહન કરવામાં આવ્યું હતું. ટોળાએ અહીં ભેગા થઈને કોંગ્રેસ કાર્યાલય પર દેખાવો કર્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઓફિસ પર જય શ્રીરામના નારા લગાવવાની સાથે કોંગ્રેસની અંતિમયાત્રા પણ કાઢી હતી અને કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના ફોટો વાળા પૂતળા સળગાવ્યા હતા.

હાલમાં જ કર્ણાટકમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળ સામે આતંકી પીએફઆઈ સાથે સરખાવી પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના દેખાવોમાં બજરંગ દળના યુવાનો લાલઘૂમ થયા છે અને જામનગર બાદ હવે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર દેખાવો કર્યા છે. જો કે અમદાવાદ પોલીસ અંધારામાં રહી ગઈ હતી અને બજરંગદળના યુવાનો અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી પુતળા દહન અને વિરોધ પ્રદર્શન કરી આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...