Thursday, January 22, 2026

શહેરના પશ્ચિમ વિસ્તારમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગનો સપાટો, જાહેરમાં ગંદકી કરનારા સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: શહેર સ્વચ્છતા મામલે સૌથી અગ્રસેર રહે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે AMC દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો દ્વારા AMCના સ્વચ્છતા અભિયાનું ઉલ્લંઘન તેમજ સ્વચ્છતાના નિયમ વિરૂદ્ધ જઇ કામ કરનારા એકમો સામે AMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને વિઝન આઇ એકમને AMC દ્વારા ગંદકી મુદ્દે સીલ કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યૂસન્સ કરતાં એકમ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા એકમો સામે અભિયાન રૂપી કાર્યવાહી ચાલી રહી છે. જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કામગીરી અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા-જુદા વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમનો નોટિસ આપવામાં આવી હતી.

ઉતર પશ્ચિમ ઝોનમાં તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યૂસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં 86 જેટલા એકમો તપાસતા, આ પ્રકારના કૃત્ય બદલ 23 નોટિસો ઇસ્યુ કરી, 07 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 29 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેર રોડ પર કચરો નાખવા બદલ ગોતા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને ઘાટલોડિયામાં આવેલા વિઝન આઇ એકમ સીલ કરાયું હતું. ઉતર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનારા એકમ સામે જરૂરી દંડનીય કાર્યવાહી કરી છે. શહેરીજનોમાં સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતા તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસમાં સખત પગલા લેવાની કાર્યવાહી ચાલુ રહેશે.

નોધનીય છે કે, AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કોર્મિશિલય એકમ હોય કે પછી રહેણાક એકમ હોય, ત્યાં જઇને જાહેર રસ્તા પર કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત AMCસી દ્વારા ટ્રીગર ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં AMC ટીમ અને સ્થાનિક સંસ્થાઓ સાથે રાખી રેલીનું આયોજન કરાયુ હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...