36.2 C
Gujarat
Sunday, June 15, 2025

અમદાવાદના આ વિસ્તારમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Share

અમદાવાદ : આજે વહેલી સવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગના બનાવમાં 15 જેટલા ટુ વહીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે 4:48 વાગ્યે ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, પાલડી ચંદ્રનગર રોડ પર શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની કુલ પાંચ જેટલી ગાડીઓ અને સ્ટેશન ઓફિસરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચે એ પહેલા પાર્કિંગમાં રહેલા અંદાજે 15 જેટલા ટુ વહીલર આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ વધુને વધુ ફેલાઈ ગઈ હતી અને ફ્લેટના ઉપરના પહેલા માળ સુધી પહોંચી હતી. જેમાં સી બ્લોકના કેટલાક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા.

ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા.ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ સી બ્લોક અને બી બ્લોકના લોકો નીચે ઉતરી ગયા હતા અને કેટલાક ધાબા પર જતા રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને નજીક નજીક ટુ-વ્હીલર પડેલા હોવાથી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles