Saturday, January 17, 2026

સતત વધતી ગરમી અને ઉપર જતો પારો, ત્યારે હીટ વેવમાં શું કરશો અને શું નહીં ?

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ચુક્યું છે ત્યારે AMC દ્વારા ઓરેન્જ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ અપોલો હોસ્પિટલ અમદાવાદના સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઇએ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપ્યાં હતાં.

હીટ વેવમાં શું કરશો અને શું નહીં…

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. સોફ્ટ ડ્રિંક, આલ્કોહોલ અથવા કેફીનયુક્ત પીણાની જગ્યાએ પુષ્કળ પાણી, છાસ, લીંબુંનું શરબત અને ઓઆરએસ પીવો.
ઘરની અંદર રહો. બપોરે ખાસ કરીને 12થી4 વાગ્યા દરમિયાન ગરમીના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. જો તમારે બહાર જવું પડે તો ટોપી અથવા છત્રીથી તમારા માથાને ઢાંકો.
સખત શારીરિક પ્રવૃત્તિઓને ટાળો
હળવા રંગ અને ઢીલા સુતરાઉ કપડા પહેરો
ખૂબજ વધઘટ થતાં તાપમાનમાં રહેવાનું ટાળો. ઉદાહરણરૂપે, એર-કન્ડિશન્ડ ઓફિસમાં 16 ડિગ્રી તાપમાનમાં રહેવું અને ત્યારબાદ બહાર 43 ડિગ્રી તાપમાનમાં નીકળવું

હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને છે અને કોણે બહાર નીકળવાનું ટાળવું જોઇએ?
વૃદ્ધો અને બાળકો વધુ સંવેદનશીલ હોય છે અને તેમણે આકરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નબળું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા અને મેદસ્વિતા ધરાવતા તેમજ હ્રદય, ડાયાબિટિસ અથવા કેન્સરની દવા લેતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા તથા અમદાવાદની મુસાફરી કરતાં લોકો જેમકે એનઆરઆઇએ હીટ વેવમાં સાવચેતી રાખવી જોઇએ.

હીટ સ્ટ્રોકના લક્ષણોઃ
ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...