Friday, March 13, 2026

સતત વધતી ગરમી અને ઉપર જતો પારો, ત્યારે હીટ વેવમાં શું કરશો અને શું નહીં ?

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ચુક્યું છે ત્યારે AMC દ્વારા ઓરેન્જ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ અપોલો હોસ્પિટલ અમદાવાદના સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઇએ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપ્યાં હતાં.

હીટ વેવમાં શું કરશો અને શું નહીં…

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. સોફ્ટ ડ્રિંક, આલ્કોહોલ અથવા કેફીનયુક્ત પીણાની જગ્યાએ પુષ્કળ પાણી, છાસ, લીંબુંનું શરબત અને ઓઆરએસ પીવો.
ઘરની અંદર રહો. બપોરે ખાસ કરીને 12થી4 વાગ્યા દરમિયાન ગરમીના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. જો તમારે બહાર જવું પડે તો ટોપી અથવા છત્રીથી તમારા માથાને ઢાંકો.
સખત શારીરિક પ્રવૃત્તિઓને ટાળો
હળવા રંગ અને ઢીલા સુતરાઉ કપડા પહેરો
ખૂબજ વધઘટ થતાં તાપમાનમાં રહેવાનું ટાળો. ઉદાહરણરૂપે, એર-કન્ડિશન્ડ ઓફિસમાં 16 ડિગ્રી તાપમાનમાં રહેવું અને ત્યારબાદ બહાર 43 ડિગ્રી તાપમાનમાં નીકળવું

હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને છે અને કોણે બહાર નીકળવાનું ટાળવું જોઇએ?
વૃદ્ધો અને બાળકો વધુ સંવેદનશીલ હોય છે અને તેમણે આકરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નબળું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા અને મેદસ્વિતા ધરાવતા તેમજ હ્રદય, ડાયાબિટિસ અથવા કેન્સરની દવા લેતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા તથા અમદાવાદની મુસાફરી કરતાં લોકો જેમકે એનઆરઆઇએ હીટ વેવમાં સાવચેતી રાખવી જોઇએ.

હીટ સ્ટ્રોકના લક્ષણોઃ
ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...