Tuesday, September 16, 2025

અમદાવાદના હાઇટેક ચોર : જાહેર કાર્યક્રમમાં ઘૂસીને લોકોના પાકીટ પર હાથફેરો કરતી ટોળકી ઝડપાઇ

Share

Share

અમદાવાદ: અમદાવાદમાં જ્યાં પણ જાહેર કાર્યક્રમ હોય અને મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય તેવા કાર્યક્રમની માહિતી સોશિયલ મીડિયા મારફતે મેળવી લઇને જે તે સ્થળ પર પહોચી લોકોના પર્સ કે મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝોન-1 LCB એ ધરપકડ કરી છે.ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક કેફેના ઉદઘાટન પ્રસંગમાં કોમેડીયન અને સેવાકીય કામગીરીથી ફેમસ થયેલા ખજુરભાઇ આવતા ત્યાં કેટલાય લોકો ભેગા થયા હતા. ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.ઝોન-1 LCBની ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી ગઈ હતી. અન્ય કોઈ વ્યક્તિના પાકિટ ચોરે તે પહેલાં જ પોલીસે ચોરી કરતા ત્રણેય ચોરને રંગે હાથે ઝડપી લીધા હતા.આરોપીઓ પાસેથી પોલીસને ચાર પાકિટ, આઇકાર્ડ, એટીએમ કાર્ડ, રીક્ષા અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.ઝોન-1 LCBએ સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આશીફ અંસારીને ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ વટવાના રહેવાસી અને ત્રણેય પાસેથી 4 પાકિટ મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ કરી તો જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર ક્યાં કેવા પ્રકારની ઇવેન્ટ થવાના છે અને ત્યાં માસ ગેધરિંગ કેવું હશે તેની ખાસ નજર રાખતા હતા. બાદમાં આરોપીઓ ત્યાં જઇને નજર ચૂકવી પર્સ, રોકડ કે ફોનની ચોરી કરતા હતા. કોઇને શંકા ન જાય તે માટે થઇને આરોપીઓ ચોરી કરેલી વસ્તુ એકબીજાને અરસ પરસ આપી ત્યાંથી નીકળી જતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...