Wednesday, January 21, 2026

વેજલપુરમાં 35 વર્ષ જૂનો જર્જરિત ત્રણ માળનો ફ્લેટ ધરાશાયી, ફસાયેલા ત્રણ લોકોને બહાર કઢાયા; કોઈ જાનહાની નથી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર આજે 35 વર્ષ જૂની ગોલ્ડ ફ્લેટ નામની બિલ્ડિંગ ધારાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરીત હતી અને તેમાં ત્રણથી ચાર લોકો ફસાયા હતા. રાતે નવ વાગ્યાની આસપાસ બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગોલ્ડ ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર ગલીની અંદર ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ આવેલો છે વર્ષોથી અહીંયા અનેક પરિવારો રહેતા હતા. પરંતુ ફ્લેટની હાલત એકદમ દયનીય થઈ જતા ઘણા પરિવારો અહીંથી નીકળી ગયા હતા. તેમ છતાં કેટલાક લોકો મજબૂરીમાં આ ફ્લેટમાં રહેતા હતા. જોકે, આજે બિલ્ડિંગ અચાનક પડી જતા ભયનો માહોલ સર્જાયો હતો અને અંદર અનેક લોકો મરી ગયા હોવાની અને ફસાયા હોવાની અફવા વાયુ વેગે પ્રસરી હતી.

અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડેના ત્રણ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ આસપાસના લોકોએ પણ મદદ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત બાદ ત્રણ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પહેલાથી જ સહી સલામત સ્થળે ખસી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

છેલ્લા કેટલાય સમયથી આ બિલ્ડીંગમાં તીરાડો પડી હતી. જેને લઈ લોકો એ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 35 થી 40 વર્ષ જૂની આ બિલ્ડીંગ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...