30.7 C
Gujarat
Sunday, July 20, 2025

અમદાવાદીઓની સૌથી મનપંસદ જગ્યા 15 જૂનથી 48 કલાક માટે બંધ, સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય

Share

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ સાબદુ બની એક પછી એક કડક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ બિપોરજોય વાવાઝોડાને કારણે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને 15મી જૂન સાંજથી રિવરફ્રન્ટ વોક વે 48 કલાક માટે બંધ કરવા જણાવાયું છે.સંભવિત વાવાઝોડાને પગલે રિવરફ્રન્ટના નિચાણવાળા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રિવરફ્રન્ટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગમચેતીના ભાગરૂપે 15મી જૂન સાંજથી રિવરફ્રન્ટ વોક વે 48 કલાક માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠે આવેલા પ્રવાસના સ્થળોએ ન જવા માટેનું સુચન કરાયું છે.

જેમાં સોમનાથ મંદિર દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે. સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 13 થી 16 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભક્તો ઘરેબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles