Thursday, April 9, 2026

અમદાવાદીઓની સૌથી મનપંસદ જગ્યા 15 જૂનથી 48 કલાક માટે બંધ, સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ સાબદુ બની એક પછી એક કડક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ બિપોરજોય વાવાઝોડાને કારણે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને 15મી જૂન સાંજથી રિવરફ્રન્ટ વોક વે 48 કલાક માટે બંધ કરવા જણાવાયું છે.સંભવિત વાવાઝોડાને પગલે રિવરફ્રન્ટના નિચાણવાળા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રિવરફ્રન્ટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગમચેતીના ભાગરૂપે 15મી જૂન સાંજથી રિવરફ્રન્ટ વોક વે 48 કલાક માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠે આવેલા પ્રવાસના સ્થળોએ ન જવા માટેનું સુચન કરાયું છે.

જેમાં સોમનાથ મંદિર દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે. સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 13 થી 16 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભક્તો ઘરેબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...