29.3 C
Gujarat
Monday, October 28, 2024

અમદાવાદીઓ માટે AMCએ જાહેર કરી ગાઈડલાઇન, જરૂર વગર ઘરમાંથી નીકળવું નહીં

Share

અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે AMC હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, AMC દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. આ સાથે ઘરમાં જ રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડુ આવતીકાલે એટલે કે 15 જૂન માંડવી અને કરાંચી વચ્ચે મધદરિયે ટકરાશે.


AMC દ્વારા ટ્વિટ કરીને સંભવિત બિપોરજોય ચક્રવાતને લઈ અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે લોકોને અફવાઓથી દૂર રહેવા અને નિયત સમયે સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઇ છે. આ સાથે સુરક્ષિત રહેવા અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા અપીલ કરાઇ છે.

AMC દ્વારા ટ્વિટ કરી સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ સાથે ટ્વિટમાં કહ્યું છે કે, વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles