Wednesday, January 21, 2026

ડૉક્ટર સાથે હનીટ્રેપનો મામલો : સારવારના બહાને હોસ્પિટલ આવી પછી પ્રેમભરી વાતો કરીને પહોંચી ગઈ બેડરૂમમાં

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્વરૂપવાન યુવતીઓ તેમજ મહિલાઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી છે.અમદાવાદમાં એક મહિલાએ પગના દુ:ખાવાના બહાને ડૉક્ટરના નંબર લઈને તેની સાથે ફોન પર વાતો કરીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી કેનેડા જવાના બહાને 50 હજાર રૂપિયા રોકડા મેળવી લીધા હતાં. જો કે, મહિલાની છેતરપિંડી અહીં સુધી અટકી નહી, ડૉક્ટર સાથે શારિરીક સંબંધ બાંધી ત્યારબાદ પોતાના સાથીદારો પાસેથી બ્લેકમેઈલિંગ કરાવીને 50 લાખની માંગ કરી હતી. તેમાંથી એક શખ્સે તો ડૉક્ટરને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ હાલ ડૉક્ટરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતાં ડોકટરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10મી જૂનના રોજ અન્ય શહેરની હોસ્પિટલમાં તેઓ હાજર હતાં તે દરમિયાન એક મહિલા આવી હતી. તેને પગમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેની સારવાર કરી હતી અને ડાબા પગે રસોળીની ગાંઠ હોવાનું જણાતાં તેમને ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે આ મહિલાએ ડૉક્ટરને કહ્યું હતું કે, હું બહાર રહું છું અને અમદાવાદમાં તેમના સંબંધીના ઘરે રોકાય છે. જેથી જો તમારો નંબર આપો તો હું તમારી એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે આવી શકું. જેથી ડોક્ટરે આ મહિલાને તેમનો નંબર આપ્યો હતો.

આ મહિલાએ ડૉક્ટર સાથે ફોન પર અને વ્હોટ્સએપ પર વાર્તાલાપ કર્યો હતો અને ડૉક્ટરને પ્રેમજાળમાં ફસાવ્યા હતાં. ત્યારબાદ મહિલાએ ડૉક્ટર પાસેથી રૂપિયા કેનેડા જવાના બહાને લીધા હતાં. ત્યારબાદ યુવતી ડૉક્ટરની ક્લિનીક પર વારંવાર અવરજવર કરવા માંડી હતી. એક વખત તો ડોક્ટર અને યુવતી વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બંધાયા હતાં. બંને જણા જયારે ડોક્ટરના ઘરમાં બેઠા હતાં ત્યારે બે માણસો તેમના ઘરે આવ્યા અને આવી કહ્યું – ‘દરવાજો ખોલો મારી બહેન અંદર છે. ત્યારબાદ 6 જેટલા માણસો આવ્યા હતાં. તેમણે ડોક્ટરને કહ્યું હતું કે, તમે મારી બહેન પર બળાત્કાર ગુજાર્યો છે. અમે તેના પિતાને બોલાવીએ છીએ અને પોલીસ ફરિયાદ કરીએ છીએ.’

આ છ જણામાંથી એક શખ્સે ડૉક્ટરને છરી બતાવી હતી અને કેટલાકે તેને માર માર્યો હતો. એક ઈસમે તો એવું કહ્યું હતું કે, આ બધુ પતાવી દેવું હોય તો 50 લાખ રૂપિયા આપો. જો નહીં આપો તો જાનથી મારી નાંખીશું. એક શખ્સે તો એવું પણ કહ્યું હતું કે, હું અગાઉ મર્ડરના ગુનામાં જેલમાં જઈ આવ્યો છું. તમને પણ મારી નાંખીશ.ત્યાર બાદ ડોક્ટરે પૈસા આપવાની ના પાડી હતી અને છેવટે 15 લાખ રૂપિયા આપીને મામલો પુરો કરવાનું કહ્યું હતું પણ ડૉક્ટરે પૈસા નહોતા આપ્યા. જેથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોલીસ ત્યાં આવતાં ડોક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પોતાની સાથે થયેલી ઘટના અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...