Friday, March 13, 2026

ડૉક્ટર સાથે હનીટ્રેપનો મામલો : સારવારના બહાને હોસ્પિટલ આવી પછી પ્રેમભરી વાતો કરીને પહોંચી ગઈ બેડરૂમમાં

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્વરૂપવાન યુવતીઓ તેમજ મહિલાઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી છે.અમદાવાદમાં એક મહિલાએ પગના દુ:ખાવાના બહાને ડૉક્ટરના નંબર લઈને તેની સાથે ફોન પર વાતો કરીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી કેનેડા જવાના બહાને 50 હજાર રૂપિયા રોકડા મેળવી લીધા હતાં. જો કે, મહિલાની છેતરપિંડી અહીં સુધી અટકી નહી, ડૉક્ટર સાથે શારિરીક સંબંધ બાંધી ત્યારબાદ પોતાના સાથીદારો પાસેથી બ્લેકમેઈલિંગ કરાવીને 50 લાખની માંગ કરી હતી. તેમાંથી એક શખ્સે તો ડૉક્ટરને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ હાલ ડૉક્ટરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતાં ડોકટરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10મી જૂનના રોજ અન્ય શહેરની હોસ્પિટલમાં તેઓ હાજર હતાં તે દરમિયાન એક મહિલા આવી હતી. તેને પગમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેની સારવાર કરી હતી અને ડાબા પગે રસોળીની ગાંઠ હોવાનું જણાતાં તેમને ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે આ મહિલાએ ડૉક્ટરને કહ્યું હતું કે, હું બહાર રહું છું અને અમદાવાદમાં તેમના સંબંધીના ઘરે રોકાય છે. જેથી જો તમારો નંબર આપો તો હું તમારી એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે આવી શકું. જેથી ડોક્ટરે આ મહિલાને તેમનો નંબર આપ્યો હતો.

આ મહિલાએ ડૉક્ટર સાથે ફોન પર અને વ્હોટ્સએપ પર વાર્તાલાપ કર્યો હતો અને ડૉક્ટરને પ્રેમજાળમાં ફસાવ્યા હતાં. ત્યારબાદ મહિલાએ ડૉક્ટર પાસેથી રૂપિયા કેનેડા જવાના બહાને લીધા હતાં. ત્યારબાદ યુવતી ડૉક્ટરની ક્લિનીક પર વારંવાર અવરજવર કરવા માંડી હતી. એક વખત તો ડોક્ટર અને યુવતી વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બંધાયા હતાં. બંને જણા જયારે ડોક્ટરના ઘરમાં બેઠા હતાં ત્યારે બે માણસો તેમના ઘરે આવ્યા અને આવી કહ્યું – ‘દરવાજો ખોલો મારી બહેન અંદર છે. ત્યારબાદ 6 જેટલા માણસો આવ્યા હતાં. તેમણે ડોક્ટરને કહ્યું હતું કે, તમે મારી બહેન પર બળાત્કાર ગુજાર્યો છે. અમે તેના પિતાને બોલાવીએ છીએ અને પોલીસ ફરિયાદ કરીએ છીએ.’

આ છ જણામાંથી એક શખ્સે ડૉક્ટરને છરી બતાવી હતી અને કેટલાકે તેને માર માર્યો હતો. એક ઈસમે તો એવું કહ્યું હતું કે, આ બધુ પતાવી દેવું હોય તો 50 લાખ રૂપિયા આપો. જો નહીં આપો તો જાનથી મારી નાંખીશું. એક શખ્સે તો એવું પણ કહ્યું હતું કે, હું અગાઉ મર્ડરના ગુનામાં જેલમાં જઈ આવ્યો છું. તમને પણ મારી નાંખીશ.ત્યાર બાદ ડોક્ટરે પૈસા આપવાની ના પાડી હતી અને છેવટે 15 લાખ રૂપિયા આપીને મામલો પુરો કરવાનું કહ્યું હતું પણ ડૉક્ટરે પૈસા નહોતા આપ્યા. જેથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોલીસ ત્યાં આવતાં ડોક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પોતાની સાથે થયેલી ઘટના અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...