Wednesday, January 21, 2026

અમદાવાદને અમિત શાહની ભેટ, જગતપુર બ્રિજ સહીત 73 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જગતપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. જ્યારે બીજી તરફ 3 કરોડના ખર્ચે ક્રેડાઇ દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્કને અમિત શાહે ખુલ્લો મુક્યો.ઓક્સિજન પાર્કમાં 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા છે.આ પ્રસંગે શાહે બિલ્ડરોને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી.

પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે 73 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. જેમાં સૌથી મહત્વકાંક્ષી અને લાંબો સમય વિવાદમાં રહેલા જગતપુર વિસ્તારમાં જગતપુર બ્રિજનો ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત ચેનપુર રોડ પર આવેલા શાંતિદીપ 2 પાસે મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા ગાર્ડનનું અને સિંધુભવન રોડ પર આવેલા મેપલ કાઉન્ટીની નજીક ક્રેડાઇ અમદાવાદ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા પીપીપી ધોરણે બનાવવામાં આવેલા ગાર્ડનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમિત શાહે ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું અને ક્રેડાઇના હોદ્દેદારોને વૃક્ષના વાવેતરની અપીલ પણ કરી. શાહે ક્રેડાઇને વિનંતી કરતા દરેક બિલ્ડર પોતાની સાઇટ પર ઓછામાં ઓછા 25 વૃક્ષનું વાવેતર કરે. અમિત શાહે નિર્ધાર વ્યક્ત કર્યો કે જો વૃક્ષનું જતન થશે તો અમદાવાદ હરિયાળું થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...