Tuesday, September 16, 2025

સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરનારને પોલીસે ‘કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી ઊઠકબેઠક કરાવી

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં રાત્રે યુવાનો માટે મોજશોખ કરવાનું સ્થળ બની ગયેલા સિંધુભવન રોડ પર અનેક વખત નબીરાઓ પોતાના બાપના પૈસે તાઇફા કરવા નીકળી પડે છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં પોલીસ સમક્ષ આવતાં તેમણે નબીરાઓને સબક શિખવાડવા માટે અને કાયદાનું ભાન કરાવવા માટે એક અનોખી જ રીત અપનાવી છે. આ નબીરાઓને એક બોર્ડ પકડાવીને ઊઠકબેઠક કરાવી સમજાવ્યું હતું કે આ રોડ તેમની માલિકીનો નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ફેબ્રુઆરીમાં સ્ટંટનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ પોલીસ પકડથી દૂર રહેતા હાશકારો અનુભવ્યો હશે તેટલામાં જ પોલીસ તેના પર ત્રાટકી અને આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરવામાં આવી.સ્ટંટ કરનાર આરોપી પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી જાવેદ ખાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ચાર કાર રોડ પર લઈ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. જે તમામ આરોપી ઝડપાયા બાદ મુખ્ય આરોપી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસે આ આરોપીને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી હતી. જોકે આરોપીને ગાડીની આગળ ઊભો રાખી બેનર પણ પકડાવવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું, ‘ ગાડી મેરે બાપ કી હે પર રોડ નહીં’

પોલીસે તેને સાનમાં સમજાવ્યું હતું કે રોડ પોતાની માલિકીનો નથી અને લોકોના જીવ જોખમમાં મૂકવાનો તે લોકોને કોઈ જ હક નથી. હાલ આ ટપોરીને પોલીસે સબક શીખવાડી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...