Monday, September 15, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું : શહેરની સૌથી ઊંચી ગગનચૂંબી બિલ્ડિંગ બનશે

Share

Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજ અને હેલિકોપ્ટર જોય રાઈડ બાદ વધુ એક નજરાણું ઊભું થઈ શકે છે.સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ગગનચૂંબી બિલ્ડિંગો બનશે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. રિવરફ્રન્ટને મનોરંજન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને દુબઈ અને અબુધાબીમાં રોડ-શો કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાજેતરમાં દુબઈ અને અબુધાબીમાં 10 ડેવલપર સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન સહિતના અન્ય અધિકારીઓની બેઠક થઈ હતી. જેમાં રિવરફ્રન્ટના પ્લોટ વેચવા માટે કવાયત કરાઈ હતી. આ સાથે અન્ય નાના પ્લોટ પણ બચાવવામાં આવ્યા હતા. બેઠક બાદ દુબઈના શોભા ગ્રુપ, લૂલૂ ગ્રુપ અને એમ્માર ગ્રુપે તેમાં રસ દાખવ્યો હતો. આ તમામ ગ્રુપો દુબઈ અને અબુધાબીમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ, મોટા મોલ અને હોટલ બનાવવામાં માહેર છે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તે અમદાવાદમાં સાબરમતીના કિનારે પણ મુંબઈ અને બેંગ્લોર જેવી ગગનચૂંબી ઈમારતો સાથે થીમ પાર્ક બનશે.

ત્યારે સૂત્રો પાસેથી વિગતો મુજબ આગામી સમયમાં રિવરફ્રન્ટ પર થીમ પાર્ક બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. જેમાં મુંબઈના ઈમેજીકા થીમ પાર્ક, બેંગ્લોરના વન્ડર લેન્ડ જેવા થીમ પાર્ક બનાવી શકાય છે. નોંધનીય છે કે, રિવરફ્રન્ટ પર ગાર્ડન, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના આકર્ષણો હાલમાં છે, ત્યારે આગામી દિવસોમાં તેમાં વધુ નવા આકર્ષણો ઉમેરાઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...