Saturday, November 8, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું : શહેરની સૌથી ઊંચી ગગનચૂંબી બિલ્ડિંગ બનશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજ અને હેલિકોપ્ટર જોય રાઈડ બાદ વધુ એક નજરાણું ઊભું થઈ શકે છે.સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ગગનચૂંબી બિલ્ડિંગો બનશે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. રિવરફ્રન્ટને મનોરંજન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને દુબઈ અને અબુધાબીમાં રોડ-શો કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાજેતરમાં દુબઈ અને અબુધાબીમાં 10 ડેવલપર સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન સહિતના અન્ય અધિકારીઓની બેઠક થઈ હતી. જેમાં રિવરફ્રન્ટના પ્લોટ વેચવા માટે કવાયત કરાઈ હતી. આ સાથે અન્ય નાના પ્લોટ પણ બચાવવામાં આવ્યા હતા. બેઠક બાદ દુબઈના શોભા ગ્રુપ, લૂલૂ ગ્રુપ અને એમ્માર ગ્રુપે તેમાં રસ દાખવ્યો હતો. આ તમામ ગ્રુપો દુબઈ અને અબુધાબીમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ, મોટા મોલ અને હોટલ બનાવવામાં માહેર છે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તે અમદાવાદમાં સાબરમતીના કિનારે પણ મુંબઈ અને બેંગ્લોર જેવી ગગનચૂંબી ઈમારતો સાથે થીમ પાર્ક બનશે.

ત્યારે સૂત્રો પાસેથી વિગતો મુજબ આગામી સમયમાં રિવરફ્રન્ટ પર થીમ પાર્ક બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. જેમાં મુંબઈના ઈમેજીકા થીમ પાર્ક, બેંગ્લોરના વન્ડર લેન્ડ જેવા થીમ પાર્ક બનાવી શકાય છે. નોંધનીય છે કે, રિવરફ્રન્ટ પર ગાર્ડન, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના આકર્ષણો હાલમાં છે, ત્યારે આગામી દિવસોમાં તેમાં વધુ નવા આકર્ષણો ઉમેરાઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...