Tuesday, February 10, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું : શહેરની સૌથી ઊંચી ગગનચૂંબી બિલ્ડિંગ બનશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજ અને હેલિકોપ્ટર જોય રાઈડ બાદ વધુ એક નજરાણું ઊભું થઈ શકે છે.સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ગગનચૂંબી બિલ્ડિંગો બનશે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. રિવરફ્રન્ટને મનોરંજન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને દુબઈ અને અબુધાબીમાં રોડ-શો કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાજેતરમાં દુબઈ અને અબુધાબીમાં 10 ડેવલપર સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન સહિતના અન્ય અધિકારીઓની બેઠક થઈ હતી. જેમાં રિવરફ્રન્ટના પ્લોટ વેચવા માટે કવાયત કરાઈ હતી. આ સાથે અન્ય નાના પ્લોટ પણ બચાવવામાં આવ્યા હતા. બેઠક બાદ દુબઈના શોભા ગ્રુપ, લૂલૂ ગ્રુપ અને એમ્માર ગ્રુપે તેમાં રસ દાખવ્યો હતો. આ તમામ ગ્રુપો દુબઈ અને અબુધાબીમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ, મોટા મોલ અને હોટલ બનાવવામાં માહેર છે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તે અમદાવાદમાં સાબરમતીના કિનારે પણ મુંબઈ અને બેંગ્લોર જેવી ગગનચૂંબી ઈમારતો સાથે થીમ પાર્ક બનશે.

ત્યારે સૂત્રો પાસેથી વિગતો મુજબ આગામી સમયમાં રિવરફ્રન્ટ પર થીમ પાર્ક બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. જેમાં મુંબઈના ઈમેજીકા થીમ પાર્ક, બેંગ્લોરના વન્ડર લેન્ડ જેવા થીમ પાર્ક બનાવી શકાય છે. નોંધનીય છે કે, રિવરફ્રન્ટ પર ગાર્ડન, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના આકર્ષણો હાલમાં છે, ત્યારે આગામી દિવસોમાં તેમાં વધુ નવા આકર્ષણો ઉમેરાઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...