અમદાવાદ : ગત 14 ઓક્ટોબર શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IND VS PAK મેચ જોવા અનેક સેલિબ્રિટી આવ્યા હતા. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ આવી હતી. ઉર્વશીનો પણ 24 કેરેટનો સોનાનો આઇફોન ગુમ થયો. ઉર્વશીએ આ અંગે મુંબઈ પહોંચી ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેનો આઇફોન ચોરી કે ગુમ થઈ ગયો છે. એક્ટ્રેસ ઉર્વશીએ સ્ટેડિયમ પર રીલ બનાવ્યા બાદ તેનો આઇફોન ગુમ થઈ ગયો હતો. જોકે ઉર્વશીએ આ અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ કરી નથી પણ ચાંદખેડા પોલીસ એક્ટ્રેસ ઉર્વશીના આઇફોન ચોરીને લઈ તપાસ કરી રહી છે.
View this post on Instagram
IND VS PAK મેચ લઈ દેશભરમાંથી હજારો ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા આવ્યા હતા. મેચમાં આવેલા પ્રેક્ષકોમાંથી અનેક લોકોના મોબાઈલ, પાકીટ અને કિંમતી સામાન ચોરી કે ગુમ થઈ હોવાની લેખિત અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થઈ છે. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન પીઆઈ વી.જે.જાડેજા કહેવું છે કે 25 જેટલા લોકોમાંથી મોબાઈલ અને પાકીટ સહિતના કીમિતી સામાન ચોરીની અરજી આવી છે.જેને લઈને સ્ટેડિયમ રહેલા CCTV ની તપાસ શરૂ છે.


