Thursday, January 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું, કલરના ડબ્બામાંથી 412 દારૂની બોટલ ઝડપાઇ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સરખેજ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પતરાના કલરના ડબ્બાઓની આડમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. PCBની ટીમે દરોડો પાડી દારૂના જથ્થા સહિત 13 લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ PCBએ પાકી બાતમીના આધારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસે સાગર એસ્ટેટમાં માવેલ એસર ગ્રીન કેરીઝ પ્રા.લિમિટેડ નામના ગોડાઉન પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉનની આગળ પડેલા કલરના પતરાના ડબ્બાઓમાં કલરના પાઉચ નીચે લાકડાના ભૂસામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કલરના ડબ્બાઓમાંથી વિદેશી દારુની 6 લાખથી વધુની કિંમતની 412 જેટલી બોટલો સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે માધુસિંહ દેવીસિંહ રાજપુત, રજાકખાન મજીદખાન પઠાણ તેમજ રિઝવાન ઉર્ફે લાલો સીમહંમદ વોરાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત દારૂની જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી લક્ષ્મણસિંહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપૂત પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના નામે કલરના પતરા ડબ્બાઓની આડમાં કલરના ડબ્બામાં પાઉચ તેની નીચે લાકડાના ભૂસામાં વિદેશી દારૂની સીલબંધ બોટલો સંતાડી તેનું પેકિંગ કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

હાલ તો પોલીસે દિલ્હીથી દારૂનો જથ્થો મોકલનાર અશોક બારોટ, લક્ષ્મણ લાલસિહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપુતની શોધખોળ હાથ ધરી છે. તેમજ જે આરોપીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો છે તેણે અગાઉ કોઈ વખત આ પ્રમાણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો કે કેમ તેમજ આ દારૂનો જથ્થો અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો કે કેમ તે તમામ મુદ્દા ઉપર પોલીસે વધુ તપાસ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...