Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું, કલરના ડબ્બામાંથી 412 દારૂની બોટલ ઝડપાઇ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સરખેજ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પતરાના કલરના ડબ્બાઓની આડમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. PCBની ટીમે દરોડો પાડી દારૂના જથ્થા સહિત 13 લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ PCBએ પાકી બાતમીના આધારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસે સાગર એસ્ટેટમાં માવેલ એસર ગ્રીન કેરીઝ પ્રા.લિમિટેડ નામના ગોડાઉન પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉનની આગળ પડેલા કલરના પતરાના ડબ્બાઓમાં કલરના પાઉચ નીચે લાકડાના ભૂસામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કલરના ડબ્બાઓમાંથી વિદેશી દારુની 6 લાખથી વધુની કિંમતની 412 જેટલી બોટલો સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે માધુસિંહ દેવીસિંહ રાજપુત, રજાકખાન મજીદખાન પઠાણ તેમજ રિઝવાન ઉર્ફે લાલો સીમહંમદ વોરાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત દારૂની જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી લક્ષ્મણસિંહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપૂત પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના નામે કલરના પતરા ડબ્બાઓની આડમાં કલરના ડબ્બામાં પાઉચ તેની નીચે લાકડાના ભૂસામાં વિદેશી દારૂની સીલબંધ બોટલો સંતાડી તેનું પેકિંગ કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

હાલ તો પોલીસે દિલ્હીથી દારૂનો જથ્થો મોકલનાર અશોક બારોટ, લક્ષ્મણ લાલસિહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપુતની શોધખોળ હાથ ધરી છે. તેમજ જે આરોપીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો છે તેણે અગાઉ કોઈ વખત આ પ્રમાણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો કે કેમ તેમજ આ દારૂનો જથ્થો અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો કે કેમ તે તમામ મુદ્દા ઉપર પોલીસે વધુ તપાસ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...