Thursday, January 15, 2026

AMCના સોલિડવેસ્ટ વિભાગે 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરીને ત્રણ એકમો સીલ કર્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો પર AMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. જાહેર માર્ગો પર ગંદકી, ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કિટલી, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમોમાં ડસ્ટબિન ન રાખતા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.

AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતું. સાઉથ ઝોનમાં ઇસનપુર અને નારોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિગ બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ બનાવતી 3 ફેક્ટરીઓ સીલ કરવામાં આવી તથા આશરે 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયુ હતું. ઇસનપુરમાં બે ફેકટરી, લાંભામાં એક ફેક્ટરી સીલ કરાઇ હતી. 10 હજાર પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ મળી આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ અને ચમચીઓનું ઉત્પાદન યુનિટમાં થતું હતું.

આ ઉપરાંત શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તામાં ગંદકી કરનાર અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ 57 એકમો તપાસતા આ પ્રકારના કૃત્ય બદલ 38 એકમોને નોટિસ ઇશ્યુ કરી 3.5 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી 44 હજાર દંડ વસુલ કરાયો હતો અને ચાર અલગ-અલગ એકમ સીલ કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...