અમદાવાદ : 31મી ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી છે, તે દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશ સમસ્તમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે સ્કૂલના શિક્ષકો અને વિધાર્થીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવાના શપથ લીધા હતા.

ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે અને વિદ્યાર્થીઓમાં નાનપણથી જ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમના બીજ રોપાય તેવા શુભ હેતુથી સ્કૂલના શિક્ષકો અને વિધાર્થીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવાના શપથ લીધા હતા.આ ઉપરાંત સરદાર પટેલ જયંતિ નિમિત્તે સરદાર પટેલના જીવન વિશે ધો-9 અને ધો-11 વિધાર્થીઓની કવીઝ રાખવામાં આવી હતી, જેમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિજેતા વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.


