Saturday, January 17, 2026

રિવરફ્રન્ટ મર્ડર કેસમાં ચોંકાવનારું ખૂલ્યું, ત્રણ મિત્રોમાં એકની હત્યા, બીજાએ આપઘાત કર્યો, ત્રીજો જેલમાં પહોંચ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ગત મંગળવારે સવારે રિવરફ્રન્ટ પાસે સ્મિત ગોહિલ નામના ચાંદલોડીયાના યુવકની ગોળી મારી હત્યા થઈ હોવાની ચકચારી ઘટનામાં ચોંકાવનારા નવા વળાંકો આવી રહ્યાં છે. અમદાવાદ પોલીસ અને ક્રાઈમબ્રાંચ આ કેસમાં યુવકના પરિવારના નિવેદનના આધારે તેના મિત્રો શંકાના પરિઘમાં આવતા ક્રાઈમબ્રાંચે સ્મિતના મિત્ર યશ રાઠોડની અટકાયત કરી પુછપરછ કરતા તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થાય છે ગત મંગળવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ નજીક એક સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીની હત્યાની ઘટના બને છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાક્રમની જુગી-જુદી કડીઓ જોડતા પોલીસને આ તપાસનું કનેક્શન વિરમગામમાં મળ્યું. 30 ઓક્ટોબરના રોજ વિરમગામમાં રવિન્દ્ર લુહાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો તે અને 31 ઓક્ટોબરે જેની હત્યા થઈ તે સ્મિત બંને મિત્રો હતા. પોલીસ તપાસમાં શંકાના પરિઘમાં તેમનો મિત્ર યશ રાઠોડ આવ્યો જેની ક્રાઈમબ્રાંચે અટકાયત કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યાં.

યશ અને સ્મિત મિત્રો હતા રવિન્દ્ર સાથે રૂ. 8 લાખની લેતીદેતી બાબત રવિન્દ્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યશ રાઠોડને રવિન્દ્રને પૈસા આપવાના હતા. યશ અને સ્મિતે રૂ. 8 લાખ આપવાના બહાને રવિન્દ્રને વિરમગામ બોલાવ્યો, જ્યાં તેની હત્યા કરી તેઓ અમદાવાદ પરત આવ્યા. બાદમાં યશ અન્ય એક હત્યા કરવાની પૈરવીમાં પણ હતો. મુકેશ ઠાકોર નામના શખ્સે પણ પૈસા માંગતો હોય તેને પણ પતાવી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હતો.

બીજી તરફ સ્મિત પોતે હત્યામાં સામેલ હોવાથી પકડાઈ જવાના ડરે યથ પાસેથી હથિયાર લાવી રિવરફ્રન્ટ પર પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પરિવારની પુછપરછમાં મિત્રોનું કનેક્શન સામે આવતા આ કેસમાં પોલીસે યશ રાઠોડની અટકાયત કરી. યશ રાઠોડ આ બંને કેસનો આરોપી છે અને આ ગુનો આચરવા માટે તેઓ મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હોવાની કબુલાત આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...