Thursday, March 12, 2026

રિવરફ્રન્ટ મર્ડર કેસમાં ચોંકાવનારું ખૂલ્યું, ત્રણ મિત્રોમાં એકની હત્યા, બીજાએ આપઘાત કર્યો, ત્રીજો જેલમાં પહોંચ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ગત મંગળવારે સવારે રિવરફ્રન્ટ પાસે સ્મિત ગોહિલ નામના ચાંદલોડીયાના યુવકની ગોળી મારી હત્યા થઈ હોવાની ચકચારી ઘટનામાં ચોંકાવનારા નવા વળાંકો આવી રહ્યાં છે. અમદાવાદ પોલીસ અને ક્રાઈમબ્રાંચ આ કેસમાં યુવકના પરિવારના નિવેદનના આધારે તેના મિત્રો શંકાના પરિઘમાં આવતા ક્રાઈમબ્રાંચે સ્મિતના મિત્ર યશ રાઠોડની અટકાયત કરી પુછપરછ કરતા તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થાય છે ગત મંગળવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ નજીક એક સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીની હત્યાની ઘટના બને છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાક્રમની જુગી-જુદી કડીઓ જોડતા પોલીસને આ તપાસનું કનેક્શન વિરમગામમાં મળ્યું. 30 ઓક્ટોબરના રોજ વિરમગામમાં રવિન્દ્ર લુહાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો તે અને 31 ઓક્ટોબરે જેની હત્યા થઈ તે સ્મિત બંને મિત્રો હતા. પોલીસ તપાસમાં શંકાના પરિઘમાં તેમનો મિત્ર યશ રાઠોડ આવ્યો જેની ક્રાઈમબ્રાંચે અટકાયત કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યાં.

યશ અને સ્મિત મિત્રો હતા રવિન્દ્ર સાથે રૂ. 8 લાખની લેતીદેતી બાબત રવિન્દ્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યશ રાઠોડને રવિન્દ્રને પૈસા આપવાના હતા. યશ અને સ્મિતે રૂ. 8 લાખ આપવાના બહાને રવિન્દ્રને વિરમગામ બોલાવ્યો, જ્યાં તેની હત્યા કરી તેઓ અમદાવાદ પરત આવ્યા. બાદમાં યશ અન્ય એક હત્યા કરવાની પૈરવીમાં પણ હતો. મુકેશ ઠાકોર નામના શખ્સે પણ પૈસા માંગતો હોય તેને પણ પતાવી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હતો.

બીજી તરફ સ્મિત પોતે હત્યામાં સામેલ હોવાથી પકડાઈ જવાના ડરે યથ પાસેથી હથિયાર લાવી રિવરફ્રન્ટ પર પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પરિવારની પુછપરછમાં મિત્રોનું કનેક્શન સામે આવતા આ કેસમાં પોલીસે યશ રાઠોડની અટકાયત કરી. યશ રાઠોડ આ બંને કેસનો આરોપી છે અને આ ગુનો આચરવા માટે તેઓ મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હોવાની કબુલાત આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...