Wednesday, March 4, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની રિવરફ્રન્ટની મુલાકાત, 22 કિ.મી. લાંબા રિવરફ્રન્ટ પર CCTV ને લઈને શું કહ્યું જાણો ?

spot_img
Share

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં બની રહેલી હત્યાની ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસ એક્શનમા આવી છે. ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડર અને આત્મહત્યાની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેની વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને જ્યા યુવકને ગોળી મારવામાં આવી હતી તે સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં એક યુવકની હત્યા કરી હતી. પકડાઇ જવાના ડરે તેણે અહીંયા આવીને આપઘાત કર્યો છે.

શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું કે, ગુના 2-5 ટકા વધે કે ઘટે એમાં બેઉ ફેર પડવાનો નથી. મહત્વની વાત એ છે કે, ગુનો બન્યા બાદ નોંધાય અને શોધાય પણ ઝડપી છે.પોલીસ પર વાહન ચેકિંગને લઇને કેટલીક વખત આરોપ લગાવવામાં આવે છે. આ સવાલના જવાબમાં શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં દરેક વાહનને ચેક નહીં કરી શકાય. પહેલા 10 મહિનામાં અમદાવાદમાં 97 ગુના નોંધાયા છે અને તે તમામને શોધવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં છે.

અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- શાહપુર અને વટવાના મર્ડર ડિટેક્ટ થઇ ગયા છે. આ ઉપરાંત 22 કિલોમીટર રિવરફ્રન્ટ પર સીસીટીવી નહીં હોવા મામલે તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદના 22 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમ નથી? તે અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે, કોર્પોરેશન સાથે આ અંગે પ્રયાસ ચાલુ છે અને ઝડપથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...