Sunday, January 25, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની રિવરફ્રન્ટની મુલાકાત, 22 કિ.મી. લાંબા રિવરફ્રન્ટ પર CCTV ને લઈને શું કહ્યું જાણો ?

spot_img
Share

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં બની રહેલી હત્યાની ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસ એક્શનમા આવી છે. ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડર અને આત્મહત્યાની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેની વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને જ્યા યુવકને ગોળી મારવામાં આવી હતી તે સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં એક યુવકની હત્યા કરી હતી. પકડાઇ જવાના ડરે તેણે અહીંયા આવીને આપઘાત કર્યો છે.

શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું કે, ગુના 2-5 ટકા વધે કે ઘટે એમાં બેઉ ફેર પડવાનો નથી. મહત્વની વાત એ છે કે, ગુનો બન્યા બાદ નોંધાય અને શોધાય પણ ઝડપી છે.પોલીસ પર વાહન ચેકિંગને લઇને કેટલીક વખત આરોપ લગાવવામાં આવે છે. આ સવાલના જવાબમાં શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં દરેક વાહનને ચેક નહીં કરી શકાય. પહેલા 10 મહિનામાં અમદાવાદમાં 97 ગુના નોંધાયા છે અને તે તમામને શોધવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં છે.

અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- શાહપુર અને વટવાના મર્ડર ડિટેક્ટ થઇ ગયા છે. આ ઉપરાંત 22 કિલોમીટર રિવરફ્રન્ટ પર સીસીટીવી નહીં હોવા મામલે તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદના 22 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમ નથી? તે અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે, કોર્પોરેશન સાથે આ અંગે પ્રયાસ ચાલુ છે અને ઝડપથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...