Wednesday, March 4, 2026

અમદાવાદમાં ફુટપાથ પર રાત્રે સુતા લોકોને રેન બસેરામાં મોકલવા નાઈટ ડ્રાઈવ ચલાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં રોડ ઉપર ફૂટપાથ અને બ્રિજ નીચે જે લોકો રાત્રિ દરમિયાન સુઈ જાય છે. આવા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઇવ કરી જે લોકો રોડ ઉપર સુતા હોય છે. તેઓને કોર્પોરેશનના રેન બસેરામાં ખસેડવા જેનાથી તેઓને શિયાળા દરમિયાન ઠંડીમાં કોઈ તકલીફનો સામનો કરવો પડે નહીં. સુવા માટે ધાબળા, ગરમ પાણી તેમજ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તેના માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.

AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શિયાળાના આગમન સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ફૂટપાથ તેમજ બ્રિજની નીચે વિવિધ જગ્યાઓ પર રાત્રે લોકો સુતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશ્રય આપવા માટે યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઈવ કરવાની સૂચના આપી છે. એએમસી દ્વારા શહેરના વિસ્તારોમાં કુલ 30 જેટલા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે CCTV, ગરમ પાણી, સુવા માટે ગરમ ધાબળા, પીવાના પાણી, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ તેઓને સાંજના સમયે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.

આ ઉપરાંત જે લોકોને રેન બસેરામાં રહે છે, તેઓને સરકારના વિવિધ લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ઇ શ્રમ કાર્ડ વગેરે લાભ પણ આપવામાં આવે છે. જો કોઈપણ તે બીમાર પડે તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ જઈ તેને સારવાર પણ કરાવવામાં આવશે. આમ જે લોકો ઘરવિહોણા છે તેઓને આશ્રય આપવા માટે થઈ હવે નાઈટ ડ્રાઈવ ચલાવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...