Sunday, January 18, 2026

અમદાવાદમાં ફુટપાથ પર રાત્રે સુતા લોકોને રેન બસેરામાં મોકલવા નાઈટ ડ્રાઈવ ચલાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં રોડ ઉપર ફૂટપાથ અને બ્રિજ નીચે જે લોકો રાત્રિ દરમિયાન સુઈ જાય છે. આવા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઇવ કરી જે લોકો રોડ ઉપર સુતા હોય છે. તેઓને કોર્પોરેશનના રેન બસેરામાં ખસેડવા જેનાથી તેઓને શિયાળા દરમિયાન ઠંડીમાં કોઈ તકલીફનો સામનો કરવો પડે નહીં. સુવા માટે ધાબળા, ગરમ પાણી તેમજ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તેના માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.

AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શિયાળાના આગમન સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ફૂટપાથ તેમજ બ્રિજની નીચે વિવિધ જગ્યાઓ પર રાત્રે લોકો સુતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશ્રય આપવા માટે યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઈવ કરવાની સૂચના આપી છે. એએમસી દ્વારા શહેરના વિસ્તારોમાં કુલ 30 જેટલા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે CCTV, ગરમ પાણી, સુવા માટે ગરમ ધાબળા, પીવાના પાણી, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ તેઓને સાંજના સમયે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.

આ ઉપરાંત જે લોકોને રેન બસેરામાં રહે છે, તેઓને સરકારના વિવિધ લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ઇ શ્રમ કાર્ડ વગેરે લાભ પણ આપવામાં આવે છે. જો કોઈપણ તે બીમાર પડે તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ જઈ તેને સારવાર પણ કરાવવામાં આવશે. આમ જે લોકો ઘરવિહોણા છે તેઓને આશ્રય આપવા માટે થઈ હવે નાઈટ ડ્રાઈવ ચલાવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...