Sunday, January 18, 2026

અમદાવાદમાં મેહુલ બોઘરાનો જબરદસ્ત અંદાજ, ટ્રાફિક પોલીસને આ રીતે ભણાવ્યો કાયદાનો પાઠ

spot_img
Share

અમદાવાદ : સુરતમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓના તોડનો અનેકવાર ભેદ ખોલનાર એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સુરત નહીં પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસને મેહુલ બોઘરાએ ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું અને ભૂલ સુધાર્યા બાદ જ ટ્રાફિક ક્રેનને જવા દીધી હતી. હકીકતમાં નિકોલ વિસ્તારમાં ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં જઈ રહી હતી, જેને લઈને એડવોકેટ મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ એડવોકેટ મેહુલ બોઘરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં કુંજ મોલ ખાતે હતા. અહીં નો પાર્કિંગમાં ટુ-વ્હીલર પાર્ક કરેલા હોવાથી ટ્રાફિક ક્રેન તેને ટો કરવા આવી હતી. જોકે લોકોને દંડ કરતા ટ્રાફિક વિભાગની ક્રેન જ ઓવરલોડિંગ હતી. ક્રેનની 6 ટુવ્હીલરની કેપેસિટી સામે તેમાં 13થી 14 જેટલા ટુ-વ્હીલર જોખમી રીતે ચડાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી અને પોલીસને નિયમ મુજબ 1000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.

આ બાદ તેમણે ટ્રાફિક વિભાગમાં ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાદ DCP સફિન હસનની ઓફિસમાં પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે ત્યાંથી જવાબ મળ્યો કે વાહન ઓવરલોડિંગ હોય તો બાઈકને ઘરે થોડા લઈ જાય. સમગ્ર ઘટના તેમણે ફેસબુકમાં લાઈવ કરી હતી. જે બાદ આખરે ટ્રાફિક પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને વધારાના વાહનો નીચે ઉતારી નાખ્યા હતા.મેહુલ બોઘરાએ લોકોને અપીલ કરી હતી કે, અમ સમગ્ર અમદાવાદની અન્ય જગ્યાઓ પણ આવી જ રીતે ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં ચાલતી હોય છે. અમદાવાદની જનતાએ CMVR-93, MV ACT-194(1A) મુજબ વિરોધ ઉઠાવો જોઈએ અને DCP ટ્રાફિકમાં ફરિયાદ કરવી જોઈએ.

સુરતના યોગી ચોકમાં રહેતા વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. જોકે તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...