Sunday, January 25, 2026

અમદાવાદના નવા નિશાળિયા ચોર ! મોંઢે રૂમાલ બાંધી બેન્કનું લોકર તોડવા આખી રાત મથ્યા પણ….પછી શું થયું જાણો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા કઠવાડામાંથી બે મિત્રોએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો. જોકે બંને મિત્રો આ ઘટનાને અંજામ આપી શક્યા નહીં. સમગ્ર મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીની બેન્ક લૂંટ પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા કઠવાડા ગામે આવેલી યુનિયન બેન્કમાં ગત તારીખ 22 ફેબ્રુઆરીએ રાતે બે શખ્સો ચોરી કરવા ગયા હતા. જ્યાં ચોર બેંકના પાછળના ભાગે આવેલ બારી તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ્યા હતા અને પોતે સાથે લાવેલ સાધનો વડે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બંને ચોર નવા નિશાળીયા હોવાથી તિજોરી તોડી શક્યા નહિ અને ચોરી કર્યા વિના જ પરત ફર્યા. બેંકમાં ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બંને શખ્સો મોઢે રૂમાલ બાંધી પ્રવેશ કરતા દેખાય છે. તેમજ CCTV પર સેલોટેપ પણ મારે છે. જેને આધારે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદ અને CCTV આધારે કાર્યવાહી કરતા બંને શખ્સો કઠવાડા ગામના રામદેવવાસના હોવાનું ખુલ્યું છે. કરણ ઠાકોર અને જયેશ ઠાકોર બંને બને મિત્રો છે. બંને મિત્રો 22 ફેબ્રુઆરીએ ગ્રાઈન્ડર કટર, પતરા કાપવાની કાતર, લોખંડની હથોડી અને છીની, એલએનટી નંગ 3, ગેસ ટીન અને સેલો ટેપ સાથે બેંકમાં ચોરી કરવા ગયા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયેશને 50 હજાર જેટલું દેવું થઈ ગયું હતું. જેથી રૂપિયાની જરૂર હોવાથી કરણ અને જયેશ બને મિત્રોએ મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જોકે બંનેનો આ પહેલો ગુનો હોવાથી અને નવા નિશાળીયા હોવાથી બંનેનો આ પ્રયાસ સફળ ન રહ્યો અને બંને ઝડપાઇ ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...