Monday, September 15, 2025

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં મહિલા ડોક્ટરના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને PI વચ્ચે પ્રેમ સંબંધ…

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ-EOWના ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૃતક યુવતી અને PI ખાચર વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા તબીબે ક્રાઈમબ્રાન્ચમાં આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં PI ખાચર તેના મૃતદેહને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા PI બી.કે. ખાચર અને મૃતક યુવતી વચ્ચે અંદાજે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.જોકે, થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. ત્યારે ગઈકાલે મહિલાએ ઈન્જેક્શન વડે આપઘાત કરતા યુવતીના પરિવારમાં અને ક્રાઈમબ્રાન્ચમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી હોવાનું સામે આવ્યું છે.

વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ હતી અને તે ડોક્ટર હતી અને શિવરંજની પાસે PGમાં રહેતી હતી. આધારભુત સૂત્રો મુજબ છેલ્લા 3-4 દિવસથી મહિલા PI ને મળવા આવતી હતી, પરંતુ કોઈ ને કોઈ સંજોગવશાત મળી શકાતું ન હોવાના કારણે મહિલાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. ડો.વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી.અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વેલી PG માં રહેતી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. જેમાં તેને PI બી.કે.ખાચર તેના અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...