Tuesday, February 10, 2026

ગુજરાત યુનિવર્સિટીનો છબરડો : આવતીકાલની પરીક્ષાનું પેપર વિદ્યાર્થીઓને આજે પધરાવી દીધું, અને પછી…

spot_img
Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, હાલ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેમાં BSC ની પરીક્ષામાં આશ્ચર્ય પમાડે તેવો છબરડો સામે આવ્યો છે. જેના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં આવતીકાલની પરીક્ષાનું પેપર આજે પૂછી લેવાતા વિવાદ સર્જાયો છે.

પ[પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત યુનિવર્સિટીનો ગંભીર છબરડો આજે સામે આવ્યો છે. BSCના વિદ્યાર્થીઓને આજે એક દિવસ પહેલા બોટની વિષયનું પેપર આપી દેવાયું. આ વિષયની પરીક્ષા આવતીકાલે લેવાની હતી. પરંતુ યુનિવર્સિટીની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓએ આજે બોટનીનું પેપર આપ્યું.વિષય કોડમાં ભૂલને કારણે પેપર બદલાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. પરિણામે પરીક્ષાર્થીઓ પેપર જોઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ગુજરાત યુનિવર્સિટીની આ ગંભીર ભૂલને કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૂ થઈ હતી. આ છબરડાને કારણે 11 વાગ્યે શરૂ થવાના બદલે પરીક્ષા 12.30 વાગ્યે શરૂ થઈ હતી. યુનિવર્સિટી ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને હાથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષા દોઢ વાગ્યાને બદલે 2.30 વાગ્યે પુરી થઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...