Thursday, March 12, 2026

કાંકરિયા તળાવને લઈને મહત્વના સમાચાર, 40 વર્ષ જૂની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાઈ છે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાંકરિયા તળાવમાં 40 વર્ષથી ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. બોટિંગ એક્ટિવિટિ બંધ થવા મામલે નવા એમઓયુ કરવામાં આવશે ત્યાર પછી જ આ સુવિધા શરૂ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કાંકરિયા તળાવમાં પણ હાઈકોર્ટ અને પોલીસ કમિશનરના આદેશનું પાલન કરતાં બોટિંગ બંધ કરાયું છે. સાથે પોલીસ કમિશનરે પણ તકેદારીના પગલે નવા એમઓયુ કરાયા બાદ તમામ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી સુવિધા શરૂ કરવાના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનરના આદેશ બાદ કાંકરિયામાં 32 ગોકાર્ટ, ઝોવિંગ અને બોટિંગની બોટને તળાવના કિનારે લાંગરવામાં આવી છે.અગાઉ 19 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પર બોટિંગ બંધ કરાયું હતું.

રાજ્યમાં શાળાની રજાનો માહોલ છે. ત્યારે બાળકો માટે ફરવાનું આ મનપસંદ સ્થાન એવા કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી બંધ થતા તેઓ નિરાશ થયા છે. નવા એમઓયુ કયારે થશે કારણ કે હાલમાં ચૂંટણીનો માહોલ છે. એવામાં સરકારી તંત્રમાં કામમાં કયારે નિર્ણય લેવાશે અને કયારે બાળકો આ વોટસ સ્પોર્ટસ એક્ટિવિટનો આનંદ લઈ શકશે, ત્યાં સુધી શાળાની રજાઓ પણ પૂર્ણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે વડોદરા બોટ દુર્ઘટનાની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વડોદરા દુર્ઘટનાને પગલે કોર્ટના કડક વલણ બાદ શહેરના વસ્ત્રાપુર, છારોડી, રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવમાં થતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...