Tuesday, March 3, 2026

અમદાવાદમાં સિગ્નલ સ્કૂલની સફળતા બાદ સિગ્નલ બાલવાટિકા, ભૂલકાઓ ભણશે હવે હરતી ફરતી બસમાં

spot_img
Share

અમદાવાદ: ભાર વિનાનો અભ્યાસ અને શિક્ષાનું દાન સૌ બાળકો સુધી પહોંચે તે માટે AMC અને શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. આ બંનેના સહિયારા પ્રયાસથી ગરીબ બાળકો માટે નવી બાલવાટિકા બસ શરૂ કરાઇ છે. આ બસનો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ બીરેન વૈષ્ણવે શુભારંભ કરાવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, AMC અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સૌ પ્રથમવાર વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર 6 વર્ષથી નાની ઉમરના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સિગ્નલ સ્કૂલ બસની માફક બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી છે. આ બાલવાટિકા બસ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ બસમાં બાળકો માટે રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં,ગીતો ઇન્સ્ટોલ કરેલ હોય તેવા TV સેટ, બ્લેક બોર્ડ અને પાણી ની સુવિધાથી સજ્જ છે. સ્કૂલ વેનમાં બે શિક્ષકો રહશે અને બાળકોને અભ્યાસ કરાવશે. આ બસમાં એક વર્ષ સુધી બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેમને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આ બસ સાબરમતી વિસ્તારમા ફરશે અને બાળકોને અભ્યાસ કરાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...