Wednesday, March 4, 2026

અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસની સ્પીડ પર લાગી બ્રેક ! 45 કિમીથી વધારેની સ્પીડથી નહીં દોડાવી શકાય

spot_img
Share

અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્મતાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત, તો એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે AMTS બસની સ્પીડને કન્ટ્રોલ કરાવવા મોટો નિર્ણય લેવાયો છે. હવે AMTS ના ચાલકો 45 કિમીથી વધુની સ્પીડે બસ નહિ હંકારી શકે. AMC એ બસની સ્પીડ અંગે મોટો નિર્ણય લીધો છે.

અવારનવાર બનતા AMTS બસથી થતા અકસ્માતને રોકવા માટે AMC એ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે, હવે AMTS ની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTS અકસ્માતનો મામલે AMTS ના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50 થી 60 km પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40 થી 45 km પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ખાનગી ઓપરેટરો પાસ દંડની વધુ રકમ વસૂલવા માટે પણ ચર્ચા થઈ હતી તેવું AMTS ના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ગત રવિવારે થયેલા ગંભીર અકસ્માતમાં વાહનોને ભારે નુક્સાન પહોચ્યું હતું. રીક્ષા અને ગાડીનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ જોવા મળી ન હતી. પરંતુ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બસ ડ્રાઈવરને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં આમિર મન્સૂરી નામના બસ ચાલકની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપી 10 વર્ષથી AMTSની બસ ચલાવતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...